New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/da41a276-a6d2-4a85-8bf2-bac848e2a9c5.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વડોદરા સયાજી હોસ્પિટલ દ્વારા આમોદના રેફરલ હોસ્પિટલ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 170 જેટલા રક્તદાતા ઓ એ રક્તદાન કર્યુ હતુ.
આ શિબિરમાં વડોદરા SSG હોસ્પિટલના તબીબ તેમજ સ્ટાફે સેવાઓ આપી હતી, અને આ એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાત મંદદર્દીઓ ને નિઃશુલ્ક આપવામાં આવશે તેમ હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવવા માં આવ્યુ હતુ.