અમદાવાદ: 2008ના સિરિયલ બ્લાસ્ટ મામલો, ફાંસીની સજા પામેલા 30 દોષિતોએ સજાને પડકારી

સ્પેશિયલ કોર્ટે ફેબ્રુઆરીમાં આ હુમલાને અંજામ આપવા બદલ 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી

New Update

ગુજરાતમાં 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં મૃત્યુદંડની સજા પામેલા 38 દોષિતોમાંથી 30 લોકો તેમની સજાને પડકારતી ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. દોષિતોએ અરજીમાં દલીલ કરી હતી કે સંજોગોવશાત્ પુરાવાના આધારે કેસમાં મૃત્યુદંડ આપી શકાય નહીં. જસ્ટિસ વી એમ પંચોલી અને જસ્ટિસ એપી ઠાકરની બેન્ચે શુક્રવારે અપીલને મંજૂરી આપી હતી.

Advertisment W3.CSS

18 ફેબ્રુઆરીના રોજ, અમદાવાદ વિશેષ અદાલતે કુલ 49 આરોપીઓમાંથી 38 આરોપીઓને આઈ પી સી હેઠળ હત્યાના ગુના, UAPAની જોગવાઈ હેઠળ ગુનાઓ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને અન્ય જોગવાઈઓ માટે દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ કેસમાં, દોષિતો એડવોકેટ એમ એમ શેખ અને ખાલિદ શેખ મારફત તેમની અરજી દાખલ કરી અને હાઈકોર્ટ દોષિત ઠેરવી અને મૃત્યુદંડની સજાના આદેશ પર રોક લગાવવા વિનંતી કરી.

જોકે, હાઈકોર્ટે તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને તેમને અલગ અરજી દાખલ કરવા જણાવ્યું હતું. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ અને સુરતમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો સાથે સંબંધિત છે. જેમાં સ્પેશિયલ કોર્ટે ફેબ્રુઆરીમાં આ હુમલાને અંજામ આપવા બદલ 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ વિસ્ફોટોમાં 56 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા.