અમદાવાદ: ભારતીય જળસીમામાંથી ઝડપાયું રૂ. 425 કરોડનું હેરોઇન, ઈરાની બોટમાંથી મળ્યો નશાનો સામાન

કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા ભારતીય જળ સીમામાં દિલધડક ઓપરેશન કરી રૂપિયા 425 કરોડના હેરોઇન સાથે ઈરાની બોટની ઝડપી પાડવામાં આવી હતી

New Update

કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા ભારતીય જળ સીમામાં દિલધડક ઓપરેશન કરી રૂપિયા 425 કરોડના હેરોઇન સાથે ઈરાની બોટની ઝડપી પાડવામાં આવી હતી

ગુજરાત કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે અને એને મધદરિયે ગુજરાતની કોઈ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ બાતમી આધારે ATSની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી. બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકાવવા પ્રયાસ કરાતાં તેણે ઇન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ એને અટકાવી બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા.એમાંથી 425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું.

પાંચેય આરોપીને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી. છેલ્લા અઢાર મહિનામાં ICG એ ATS સાથેના સંકલનમાં આઠ વિદેશી જહાજને પકડી લીધાં છે અને રૂ.2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને એક મહિનો પૂર્ણ,દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબ, ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા

New Update
amdavad plane crash

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. જે વિમાન ક્રેશનું મોટું કારણ બની હોવાની શક્યતા છે.

AAIBએ વિમાનના એન્જિનને મળતો ઈંધણનો પુરવઠો બંધ થવા જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો તરફ ધ્યાન દોર્યું છે.જોકેતપાસ બ્યુરોએ કહ્યું છે કે આ રિપોર્ટ પ્રારંભિક છે. હાલમાંઅકસ્માતની વિગતવાર તપાસ ચાલી રહી છે.

AAIBના રિપોર્ટ મુજબએર ઇન્ડિયાના વિમાને ટેસ્ટિંગ દરમિયાન સવારે લગભગ 8:08 વાગ્યે 180 નોટની મહત્તમ એરસ્પીડ પ્રાપ્ત કરી હતી.ત્યારબાદ અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો જે એન્જિનમાં ઇંધણ મોકલે છે, ‘રન’ થી કટઓફ પોઝિશન પર ગયા હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ફક્ત 1 સેકન્ડના અંતરે બની હતી. આ સમય દરમિયાન એન્જિનમાં ઇંધણ આવવાનું બંધ થઈ ગયું. જો કે અંતિમ નિષ્કર્ષ હજુ આવવાનો બાકી છે.

AAIBના તપાસ રિપોર્ટમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ પ્રકાશમાં આવી છે.કોકપીટ વોઇસ રેકોર્ડરમુજબએક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે તમે એન્જિન કેમ બંધ કર્યુંઆ પ્રશ્નના જવાબમાંબીજા પાઇલટે કહ્યું કે મેં કંઈ કર્યું નથી. બંને પાઇલટ્સ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે એન્જિનમાં ઇંધણઆવતું બંધ થયું હતું.

Latest Stories