અમદાવાદ : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ સ્ટેડિયમ થશે તૈયાર

New Update

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ શહેરના નારણપુરા વિસ્તારમાં વિશ્વકક્ષાનું એક સ્પોર્ટ્સ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તેને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે 19 એકર જમીનમાં રૂ.584 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું કોમ્પ્લેક્સ તૈયાર થનાર છે. આ કોમ્પલેક્ષ તૈયાર થયા બાદ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક રમતને પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં ગુજરાતની રમત ગમત ક્ષેત્રે પણ એક અલગ ઓળખ બનશે.

આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ પ્રોજેક્ટ 6 વિવિધ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં એક્વેટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનીટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સ નો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સાથે જ કોમ્પ્લેક્ષમાં 800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર અઘતન પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને વાહન વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે સરળ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.


અમદાવાદ ખાતે આ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, જેને કેન્દ્ર સરકારે પણ મંજુરી આપી દીધી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પણ આપવામાં આવનાર છે. કેન્દ્રિય નાણા વિભાગે ગુજરાત સરકારને ગ્રાન્ટ આપશે જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાળવાશે. જોકે ગ્રાન્ટ આપતાં પહેલાં કોર્પોરેશન દ્વારા NOC, જમીનનું પઝેશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને આપેલા લેટર ઓફ વર્ક ઓર્ડર જેવા દસ્તાવેજો જમા કરાવવાનો રહેશે અને ત્યારબાદ નિર્માણ કાર્ય શરુ કરવામાં આવશે.

આ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 2 બાસ્કેટ બોલ, 2 વોલીબોલ અને 8 બેડમિન્ટન કોર્ટ, 4 ટેકવાન્ડો કોર્ટ, 4 કબડ્ડી કોર્ટ, 4 રેસલિંગ અને 12 ટેબલ ટેનિસ મેચ રમાશે. ખેલાડીઓ માટે લોન્જમાં 1 સ્પોર્ટ્સ સાયન્સ અને ફીટનેસ સેન્ટર ચેન્જ રૂમ અને લોકર ઈકવિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથે ટ્રેનિંગ રૂમ, કોચ માટે 8 ડબલ રૂમ, ખેલાડીઓ માટે 89 ટ્રિપલ બેડરૂમ, 150 કોર્પોરેટ લોકો બેસી શકે તેવો ડાઇનિંગ હોલ પણ બનશે તો સાથે ઇન-ડોર ગેમ માટે વ્યવસ્થા કરવામાં આવશે. 

Read the Next Article

અમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર

ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.

New Update
  • અમદાવાદ ગોઝારી પ્લેન ક્રેશની દુર્ઘટના

  • મૃતદેહના કરવામાં આવ્યા DNA ટેસ્ટ

  • વિજય રૂપાણીના મૃતદેહની થઇ ઓળખ

  • રાજકોટ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

  • અત્યાર સુધીમાં 14 મૃતદેહો સોંપવામાં આવ્યા 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.DNA ટેસ્ટ બાદ તેમના મૃતદેહની ઓળખ થઇ હતી,અને રાજકોટ ખાતે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જે અંગેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદના ભયાવહ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે.જોકે આ વિમાનમાં 242 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. જે પૈકી એક યાત્રીનો સદનસીબે બચાવ થયો હતો. આ સિવાય બાકીના 241 યાત્રીઓના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે.

વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.જોકે તેમના અંતિમસંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે.રાજકોટના નિર્મલા રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીના તેમના નિવાસસ્થાને મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી.

મીડિયા સાથે વાત કરતા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કેઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યારસુધી કુલ 32 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 14 મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. મૃતકોને સોંપાયેલા મૃતદેહોમાં અમદાવાદના 4મહેસાણાના 4વડોદરાના 2ખેડાનો 1અરવલ્લીના 1બોટાદના 1 અને ઉદયપુર(રાજસ્થાન)ના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.