Connect Gujarat
અમદાવાદ 

ગુજરાતમાં મંત્રીમંડળમાં ઉલટફેર બાદ પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદમાં

ગુજરાતમાં મંત્રીમંડળમાં ઉલટફેર બાદ પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદમાં
X

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. જો કે તે સામાજિક કામ માટે ગુજરાત આવ્યા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યના નવનિયુકત સીએમ ભુપેન્દ્ર પટેલ તેમની ઔપચારિક મુલાકાત કરી આશીર્વાદ મેળવી શકે છે.

ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના માનવામાં આવે છે. વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલની ધારાસભ્ય તરીકે ટિકિટ આપવાનો હઠાગ્રહ પણ આનંદીબેન નો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન રાજીનામું આપ્યું, ત્યારે તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. જો કે મુખ્ય પ્રધાન તરીકે પદ પરથી ઉતર્યા બાદ ફરી ક્યારેય ચૂંટણીના લડવાનો નિર્ણય કર્યો હતો, જેની જાણ પણ એમને મોવડી મંડળને કરી હતી.

2017ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં આનંદીબેન પટેલ સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતાં. ભુપેન્દ્ર પટેલના નામનો ભાજપના સિનિયર નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નામ જ ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ જ ભાજપના ઉમેદવાર બનશે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને અંતે મોડી રાતે અમદાવાદમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી.

ગુજરાતમાં ભાજપ ભલે જૂથવાદના હોય હોય એવી વાત કરે, પરંતુ આનંદીબેન તથા અમિત શાહ વચ્ચેનો ખટરાગ જગજાહેર હતો. આનંદીબેન જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું, ત્યારે પણ એમણે નીતિન પટેલ મુખ્ય પ્રધાન બને એ માટે આગ્રહ રાખ્યો હતો અને આ નિર્ણય પર સંમતિ પણ સંધાઈ ગઈ હતી. જો કે અંતિમ ઘડીએ નિર્ણય બદલાયો અને મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી ની પસંદગી કરવામાં આવી.જે રીતે ભુપેન્દ્ર પટેલની CM તરીકે નિમણુંક થઈ છે ત્યારે રાજકીય વર્તુળોમાં ફરી એક વાર ગુજરાતમાં આનંદીબેનનો હાથ ઉપર રહ્યો હોવાની ચર્ચા છે.

Next Story