અમદાવાદ શહેરને પ્રદૂષિત કરતા એક વેપારીની ધરપકડ, પીસીબીની મોટી કાર્યવાહી
અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબી ને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબી ને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં PCBએ ઘટનાની ગંભીરતાને જોઈને જીપીસીબી ને સાથે રાખી એક ખુલ્લા મેદાનમાં ગંદકી ફેલાવવા મામલે કાર્યવાહી કરીને એક વેપારીની ધરપકડ કરી લીધી છે.
પીસીબીને માહિતી મળી હતી કે રામોલ વિસ્તારમાં સાજીદ અંસારી નામનો એક વ્યક્તિ પોતાની જગ્યા માં સેડ બનાવીને સેડમાં પ્લાસ્ટિકના જોખમી ઘન કચરાનું પ્રોસેસિંગ કરી પોતાના સેડની સામે ખુલ્લા ખેતરમાં પ્રદૂષિત પાણી સહિત જોખમકારક વસ્તુઓ ફેંકી રહ્યો છે.માહિતીના આધારે પીસીબીએ કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે જે ખેતરમાં તે આ કચરો ફેંકી રહ્યો છે તે ખેતર એક વ્યક્તિ પાસેથી મહિને 7 હજાર રૂપિયા આપી ભાડેથી લીધેું હતું આ પ્રોસેસ માટે તેણે કોઈ સરકારી પરવાનગી લીધી છે કે કેમ તે વિશે પૂછતાં તેણે જણાવ્યું હતુ કે, આ બાબતે કોઈ પરવાનગી લીધી નથી. આ બાબતે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે રામોલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે હાલ પીસીબીએ આરોપી સામે 284, 278 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 કલમ 7,8,15(1)મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT