Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ શહેરને પ્રદૂષિત કરતા એક વેપારીની ધરપકડ, પીસીબીની મોટી કાર્યવાહી

અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબી ને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.

અમદાવાદ શહેરને પ્રદૂષિત કરતા એક વેપારીની ધરપકડ, પીસીબીની મોટી કાર્યવાહી
X

અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબી ને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં PCBએ ઘટનાની ગંભીરતાને જોઈને જીપીસીબી ને સાથે રાખી એક ખુલ્લા મેદાનમાં ગંદકી ફેલાવવા મામલે કાર્યવાહી કરીને એક વેપારીની ધરપકડ કરી લીધી છે.

પીસીબીને માહિતી મળી હતી કે રામોલ વિસ્તારમાં સાજીદ અંસારી નામનો એક વ્યક્તિ પોતાની જગ્યા માં સેડ બનાવીને સેડમાં પ્લાસ્ટિકના જોખમી ઘન કચરાનું પ્રોસેસિંગ કરી પોતાના સેડની સામે ખુલ્લા ખેતરમાં પ્રદૂષિત પાણી સહિત જોખમકારક વસ્તુઓ ફેંકી રહ્યો છે.માહિતીના આધારે પીસીબીએ કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે જે ખેતરમાં તે આ કચરો ફેંકી રહ્યો છે તે ખેતર એક વ્યક્તિ પાસેથી મહિને 7 હજાર રૂપિયા આપી ભાડેથી લીધેું હતું આ પ્રોસેસ માટે તેણે કોઈ સરકારી પરવાનગી લીધી છે કે કેમ તે વિશે પૂછતાં તેણે જણાવ્યું હતુ કે, આ બાબતે કોઈ પરવાનગી લીધી નથી. આ બાબતે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે રામોલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે હાલ પીસીબીએ આરોપી સામે 284, 278 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 કલમ 7,8,15(1)મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Story