ભરૂચ-અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વહેલી સવારે વરસાદ, ખેડૂતોને થયો હાશકારો

Update: 2018-08-03 05:53 GMT

વરસાદે વિરામ લેતાં નિંદામણ સહિતની કામગીરીમાં જોતરાયેલા ખેડૂતો ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા

ભરૂચ અને અંકલેશ્વર માં ઘણા લાંબા વિરામ બાદ આજે શુક્રવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. બાદમાં ધીમી ધારે વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથો સાથ વરસાદે વિરામ લેતાં નિંદામણ સહિતની કામગીરીમાં જોતરાયેલા ખેડૂતો ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આજરોજ અચાનક મેઘરાજાએ પોતાની હાજરી પુરાવતાં ખેતરોમાં ઉભા પાકમાં પણ જાણે નવો સંચાર થયો હતો. વરસાદને પગલે શહેરનાં માર્ગો ભીંજાયા હતા. જેના કારણે થોડા દિવસોથી ઉડી રહેલી ધૂળ-કાંકરીઓથી વાહન ચાલકોને રાહત સાંપડી હતી.

Tags:    

Similar News