અંકલેશ્વર: ગરબા જોવા ગયેલ પત્નિ પર પતિએ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

પત્નીના ચરિત્ર પર ખોટો શક અને વહેમ રાખી પાછળથી દોડી આવેલ પતિ ગૌરાંગ પટેલે તેણીને અંધારામાં ખેંચી જઈ માર મારી પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ મારી ઈજાઓ પહોંચી હતી

Update: 2022-10-06 13:06 GMT

અંકલેશ્વરના ગોયા બજારમાં ગરબા જોવા જતી પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ વિરુદ્ધ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના મૂળ કરશનવાડી સુરતી ભાગોળ અને હાલ ગોયા બજાર માલી ખડકી મોટા રામજી મંદિર પાસે રહેતી ૨૩ વર્ષીય ઝંખનાબેન અશોક પટેલના લગ્ન ૨૦૧૭માં ગોયા બજાર માલી ખડકી મોટા રામજી મંદિર પાસે રહેતા ગૌરાંગ માણેકભાઈ પટેલ સાથે થયા હતા

લગ્નજીવન દરમિયાન તેઓને પુત્રનું સુખ મળ્યું છે ગત તારીખ-૪થી ઓક્ટોબરના રોજ રાતે નવરાત્રીમાં પિયરથી માલી ખડકી મોટા રામજી મંદિરે ગરબા જોવા માટે પુત્ર સાથે જતા હતા તે દરમિયાન રાતે પોણા બારેક વાગ્યે ગોયા બજાર ચેતન ચંદુ પટેલના ઘર પાસે પત્નીના ચરિત્ર પર ખોટો શક અને વહેમ રાખી પાછળથી દોડી આવેલ પતિ ગૌરાંગ પટેલે તેણીને અંધારામાં ખેંચી જઈ માર મારી પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ મારી ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત ઝંખનાબેન પટેલને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News