ભરૂચ: મુક્તિનગરમાં અંગત અદાવતે મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરાય હોવાના આક્ષેપ,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું.

Update: 2022-07-29 12:09 GMT

ભરૂચ શહેરના સતત ભરચક વિસ્તારમાં આવેલી મુક્તિ નગર સોસાયટીમાં મહિલાને થાંભલા બાબતે બોલાચાલી કરી તેણીને માર મારી નિર્વસ્ત્ર કરી દીધી હોવાના આક્ષેપ સાથે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બાબતે ફરિયાદી મહિલાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કડક પગલા ભરવાની માંગ કરી છે

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું. જેમાં ભરૂચના મુક્તિનગર સોસાયટીમાં રહેતા જોગીંદર વર્મા તથા અન્ય એક મહિલાએ સોસાયટીમાં રહેતી અને છેલ્લા ચાર દિવસથી તેનો પતિ બહાર હોય તેની એકલતાનો લાભ લઈ આરોપીઓએ ફરિયાદી મહિલાને ગાળા ગાળી કરી તેણીને મારી નિર્વસ્ત્ર કરી દીધી હતી. ભોગ બનનારે મોબાઇલમાં વિડીયો કરવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેણીનો મોબાઇલ પણ તોડી નાખ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદી તાબડતોબ એ ડિવિઝન પોલીસ માટે પહોંચી આરોપી જોગિન્દર વર્મા અને અન્ય એક મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.આ તરફ મહિલાઓ દ્વારા આરોપી સામે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે

Tags:    

Similar News