ભરૂચ: રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર, સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો

રાજપારડી નગરના સ્થાનિકો દ્વારા નેત્રંગ રોડ પર ચક્કાજામ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર દોડતા વાહનો રોકી મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

Update: 2023-09-30 08:15 GMT

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર બનતા લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભરૂચ ઝઘડિયા તાલુકામાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહનચાલકો સહિત સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

રાજપાડી થી નેત્રંગને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે નેત્રંગ રોડ પર પથ્થરોની ખાણો આવેલી હોવાથી રોજના હજારો ભારે વાહનો આ રસ્તા પર દોડી રહ્યા છે જેથી રસ્તા પરથી પથ્થરો તેમજ ધૂળની ડમરીઓ ઊડવાના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે,ત્યારે આજરોજ રાજપારડી નગરના સ્થાનિકો દ્વારા નેત્રંગ રોડ પર ચક્કાજામ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર દોડતા વાહનો રોકી મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ભારે સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો

Tags:    

Similar News