અંકલેશ્વર: પાનોલીની જે.બી.કેમિકલ કંપનીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાય રક્તદાન શિબિર

New Update
અંકલેશ્વર: પાનોલીની જે.બી.કેમિકલ કંપનીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાય રક્તદાન શિબિર

અંકલેશ્વરના પાનોલી ખાતે આવેલ જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના આજરોજ સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના પાનોલી ખાતે કાર્યરત જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના આજરોજ સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના સ્થાપના દિવસ નિમિત્તે સ્વૈરછીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી યોજાય હતી જેમાં 150 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું અને કંપનીના સ્થાપના દિવસ નિમિત્તે સેવાકાર્ય કર્યું હતું. આ પ્રસંગે કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

BCCI એ એક મહત્વપૂર્ણ લીધો નિર્ણય, સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

New Update
scss

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

BCCI એ હવે પોતાની સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો ખાસ કરીને લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિયમથી ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી 2025-26 ની સ્થાનિક ક્રિકેટ સિઝનથી રેડ-બોલ મેચોમાં નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ICC ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે. હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેલાડી માટે ફક્ત લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટની જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંત અને ક્રિસ વોક્સના કેસ પછી લેવામાં આવ્યો છે. આ નિયમ હાલમાં માત્ર રેડ-બોલ અને અંડર-19 CK નાયડુ ટ્રોફીમાં લાગુ થશે, જ્યારે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં નહીં.