Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે બાઈક સવાર વૃદ્ધને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું

જામનગરના અને હાલ અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં આવેલ મહેશભાઈની વાડીમાં રહેતા ૬૨ વર્ષીય મોહનભાઈ આંબાભાઈ અકબરી

અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે બાઈક સવાર વૃદ્ધને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું
X

મળતી માહિતી અનુસાર, મૂળ જામનગરના અને હાલ અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં આવેલ મહેશભાઈની વાડીમાં રહેતા ૬૨ વર્ષીય મોહનભાઈ આંબાભાઈ અકબરી ગતરોજ સાંજના સમયે પોતાની બાઈક નંબર-જી.જે.૦૫.એન.એન.૬૨૫૩ લઇ અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન સારંગપુર ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટેમ્પો ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વૃદ્ધ મોહનભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહને અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story