Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગામ તળાવની ફરતે લગાવેલ 150 જેટલી પ્રોટેક્શન એંગલની ચોરી, વિપક્ષે કર્યા પાલિકા પર ગંભીર આક્ષેપ

ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શન એંગલોની ચોરીની ઘટનાના પગલે વિપક્ષે સવાલો ઉઠાવી વહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી છે

અંકલેશ્વર : ગામ તળાવની ફરતે લગાવેલ 150 જેટલી પ્રોટેક્શન એંગલની ચોરી, વિપક્ષે કર્યા પાલિકા પર ગંભીર આક્ષેપ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શન એંગલોની ચોરીની ઘટનાના પગલે વિપક્ષે સવાલો ઉઠાવી વહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા પાસે નગરપાલિકા હસ્તકનું ગામ તળાવ આવેલ છે. જે તળાવ થકી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જોકે, આ તળાવની ફરતે પાલિકા દ્વારા પ્રોટેક્શન અંગે એંગલો લગાવી ફેન્સીંગ કરવામાં આવી છે,

જે સ્થળે દેખરેખ માટે વોચમેન પણ મુકવામાં આવ્યા છે, ત્યારે આ તળાવની ફરતે લગાવેલ એંગલોને તસ્કરોએ નિશાન બનાવી હતી, અને 150 જેટલી એંગલની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ મામલે કોઈપણ જાતની ફરિયાદ હજી સુધી નોંધાઈ નથી, ત્યારે આ અંગેની જાણ વિપક્ષના રફીક ઝઘડિયાવાલાને થતા તેઓએ વોચમેન હોવા છતાં ચોરીની ઘટના બની હોવાથી સવાલો ઉઠાવી, જો કોઈ તળાવમાં ઝેર નાખી જાય તો લોકોનું શું થશે તેવા પણ સવાલો ઉઠાવી પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

Next Story