ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા રકતદાન શિબિર યોજાઇ, રકતદાતાઓએ કર્યું રકતદાન

New Update

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં અગ્રવાલ સમાજ તરફથી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે જેનાભાગરૂપે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા અગ્રવાલ સમાજના ઉપક્રમે રેડક્રોસ બ્લડ બેંક તથા નારાયણ હોસ્પિટલના સહયોગથી રકતદાન શિબિર યોજવામાં આવી હતી.


ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું હતું. તમારૂ લોહી બીજાનું જીવન છે ના શુભ આશય સાથે યોજાયેલી રકતદાન શિબિરમાં રકતદાતાઓએ મોટી સંખ્યામાં હાજર રહી રકતદાન કર્યું હતું. રકતદાન શિબિરના સફળ આયોજન માટે અગ્રવાલ સમાજના અગ્રણીઓએ મહિલા સમિતિના તમામ સભ્યોને અભિનંદન આપ્યાં છે.


Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.