ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા રકતદાન શિબિર યોજાઇ, રકતદાતાઓએ કર્યું રકતદાન
BY Connect Gujarat Desk3 Oct 2021 12:59 PM GMT
X
Connect Gujarat Desk3 Oct 2021 12:59 PM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં અગ્રવાલ સમાજ તરફથી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે જેનાભાગરૂપે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા અગ્રવાલ સમાજના ઉપક્રમે રેડક્રોસ બ્લડ બેંક તથા નારાયણ હોસ્પિટલના સહયોગથી રકતદાન શિબિર યોજવામાં આવી હતી.
Delete Edit
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું હતું. તમારૂ લોહી બીજાનું જીવન છે ના શુભ આશય સાથે યોજાયેલી રકતદાન શિબિરમાં રકતદાતાઓએ મોટી સંખ્યામાં હાજર રહી રકતદાન કર્યું હતું. રકતદાન શિબિરના સફળ આયોજન માટે અગ્રવાલ સમાજના અગ્રણીઓએ મહિલા સમિતિના તમામ સભ્યોને અભિનંદન આપ્યાં છે.
Next Story