ભરૂચ: અંકલેશ્વરના વોર્ડ નંબર 9 ખાતે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો
ત્રીજી લહેર વચ્ચે સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહયો છે
BY Connect Gujarat31 Aug 2021 11:26 AM GMT
X
Connect Gujarat31 Aug 2021 11:26 AM GMT
હાલ કોરોના મહામારી ચાલી રહી છે જો કે કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે પરંતુ ત્રીજી લહેર વચ્ચે સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 9ના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં નગર સેવક સુરેશ પટેલના પ્રયાસોથી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોને રસી મૂકવામાં આવી હતી. લોકોને ઘર આંગણે જ વેક્સિન મળી રહે અને રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી ન પડે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
Next Story