ભરૂચ: ઝઘડિયામાં અધિક શ્રાવણ માસના પ્રારંભે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

New Update

અધિક (પુરુષોત્તમ) શ્રાવણ માસનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ઝઘડિયા પંથકમાં શિવાલયોમાં વહેલી સવારથી મહાદેવની પૂજા અર્ચના અને વિવિધ પૂજાઓનો પણ પ્રારંભ થયો છે અને સાથે સાથે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.

ચાલુ સાલે ૧૯ વર્ષ બાદ અધિક માસમાં શ્રાવણ માસનો સંયોગ ઉભો થતાં બે માસ સુધી શ્રાવણનો રંગ રહેશે.અધિક શ્રાવણ માસના પ્રારંભે વિવિધ પૂજા અર્ચનાના કાર્યક્રમો ઝઘડિયા પંથકના શિવાલયોમાં યોજાયા હતા.

મહાભિષેક, રૂદ્રી પાઠ, સત્યનારાયણની કથા વિગેરે પૂજાઓ અધિક શ્રાવણના પહેલા દિનથી જ આરંભી દેવાઈ હતી. હિન્દુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે ત્યારે શ્રાવણ માસનું મહાત્મય તો ખૂબ જ હોય છે અને તેમાં પણ અધિક શ્રાવણ માસનો ખૂબ મહાત્મય હિંદુ ધર્મના વેદ પુરાણોમાં લખાયું છે.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • વૃદ્ધનું મકાન તોડી પાડી દીકરીને માર મરાયો

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી 
ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.