અંકલેશ્વર નેશનલ હાઇવે પર અકસ્માત અને આમલાખાડી બ્રિજ પર ખાડાઓના સામ્રાજ્યને લઈ ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે વાહન ચાલકો અટવાયા હતા
વરસાદ ખેંચાતા અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામની સમસ્યા નહીંવત જોવા મળી હતી પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ બાદ હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતાં ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આજરોજ રાજપીપળા ચોકડીના કટ પાસે બે વાહનો વચ્ચે અકસ્માત બાદ રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો જો કે ત્યા જિલ્લા ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ દોડી આવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો જે બાદ નિલેષ ચોકડીથી આમલાખાડી બ્રિજ વચ્ચે પણ ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા આમલાખાડી બ્રિજ ઉપર ખાડાઓને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ટ્રાફિકને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી