ઝઘડીયા : વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના વાસણો ચોરનાર તસ્કર ઝબ્બે

New Update

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામની પ્રાથમિક શાળામાં ચોરીનો બનાવ બન્યો હતો. મધ્યાહન ભોજનના રૂમમાંથી વાસણોની ચોરી કરી ફરાર થઇ ગયેલાં તસ્કરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલભેગો કર્યો છે.

Advertisment

ઝઘડીયાના વણાકપોર ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે જેમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજનકક્ષ બનાવવામાં આવ્યો છે. આ રૂમનું તાળુ તોડી તસ્કરો પાંચ તબેલા અને કુકરની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. શાળાના સંચાલકોએ આ બાબતે રાજપારડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પીએસઆઇ જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી દરમિયાન પોલીસ કોન્સટેબલ સંદિપને બાતમી મળી હતી કે એક ઇસમ રાજપારડીના બજારમાં કુકર વેચવા માટે ફરી રહયો છે.

પોલીસે વાઝા કોમ્પલેકસ વિસ્તારમાંથી વણાકપોરના પ્રકાશ વસાવાને ઝડપી પાડી તેની પુછપરછ કરી હતી. તેની પાસે રહેલાં કોથળામાંથી કુકર મળી આવ્યો હતો. પોલીસની આકરી પુછપરછમાં તેણે વણાકપોરની શાળામાંથી વાસણોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

Advertisment