અંકલેશ્વર જુની દિવીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ સહિત સોનાના દાગીના લઈને ફરાર
જૂની દિવી ગામના દરબાર ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
BY Connect Gujarat Desk22 May 2022 11:13 AM GMT
X
Connect Gujarat Desk22 May 2022 11:13 AM GMT
અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં રહેતા રંજનબેન નરેન્દ્રસિંહ રણા પોતાનું ઘર બંધ કરી કોસંબા ખાતે પૌત્ર સાથે વેકેશન ગાળવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ 61 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટના અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Next Story