અંકલેશ્વર : સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની વાડીમાં યોજાયો હિમોગ્લોબીન ચેકઅપ-ફ્રી મેડિસિન કેમ્પ...

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની વાડી ખાતે હિમોગ્લોબીન ચેકઅપ અને ફ્રી મેડિસિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની વાડી ખાતે હિમોગ્લોબીન ચેકઅપ અને ફ્રી મેડિસિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની વાડી ખાતે સૌરાષ્ટ્ર ઉમા વુમન ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ, ઉમિયાધામ સીદસર, કંડારિયા ફાઉન્ડેશન-રાજકોટ અને કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકાના સહયોગથી ફ્રી હિમોગ્લોબીન ચેકઅપ અને ફ્રી મેડિસિન કેમ્પને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં દરેક જ્ઞાતિના વડીલો, બહેનો અને 10 વર્ષથી ઉપરના બાળકોનું ફ્રી હિમોગ્લોબીન ચેકઅપ, હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા વ્યક્તિઓને એક મહિનાની દવા ફ્રી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ઉમા વુમન ફાઉન્ડેશને જાહેર જનતાને અપીલ કરી હતી કે, જ્યારે પણ આવા કેમ્પના આયોજન આપણા અંકલેશ્વર ખાતે થતાં હોય તો વધુમાં વધુ લોકોએ કેમ્પનો અવશ્ય લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સોના ભાંગરોલીયા, સરલા ભૂવા,જમન કાશુન્દ્રા સહિત જીઆઇડીસીની મહિલા સમિતિઓ ઉપસ્થિત રહી હતી.

Read the Next Article

તમે જોજો દિલ્હીવાળાની ડિપોઝિટ ડુલ થશે..! : જુનાગઢમાં સી.આર.પાટીલના કેજરીવાલ પર પ્રહાર, ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

New Update
  • ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિ

  • સી.આર.પાટીલ અરવિંદ કેજરીવાલ ઉપર વરસ્યા

  • હારેલા CM ફોર્મ ભરાવવા આવ્યા : સી.આર.પાટીલ

  • અહીં ત્રીજી પાર્ટીને કોઇ જ સ્થાન નથી : કેન્દ્રિય મંત્રી

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપઠિત રહ્યા હતા.

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે અંતિમ પડાવમાં પ્રવેશી રહી છેત્યારે દરેક પક્ષોએ પ્રચારની પાંખો વિસ્તારી છે. વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલએ આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કેજેના લીધે દિલ્હીમાં આખી સરકાર પડી એ હારેલા CM ઇટાલિયાનું ફોર્મ ભરાવવા આવ્યા હતાઅને અહીં આવીને ચેલેન્જ કરતા હતા.

ભેંસાણની ધરતીમાં પરબનું પીર છેસાધુ-સંતોની ભૂમિ છેસાવજની ભૂમિ છે અને જ્યાં આટલા સાવજ હોય ત્યાં ભાજપની જીત નિશ્વિત જ હોય છે. આ કાર્યકર્તા સંમેલનમાં ગુજરાતભરના દિગ્ગજ નેતાઓધારાસભ્યોસાંસદોહોદ્દેદારોએ હાજરી આપી હતી. જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ચૂંટાયેલા કોર્પોરેટરોની ટીમ પણ સંમેલનમાં જોડાય હતી.