ભરૂચ : નેત્રંગમાં સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને આપી માહિતી

New Update

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Advertisment

કેન્દ્રમાં મોદી સરકારના 9 પૂર્ણ થતાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ તાલુકામાં જનસંપર્ક અભિયાનના ભાગરૂપે અનાજ-કરીયાણાના વેપારી, ડોક્ટર, સરકારી દવાખાનાના કર્મીઓ, વકીલો અને પાણી-પુરવઠાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પાંચસીમ ગામે ચાલતા પુલના નિર્માણની કામગીરી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનતા આવાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ જનસંપર્ક કાર્યક્રમ થકી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Advertisment