Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નેત્રંગમાં સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને આપી માહિતી

ભરૂચ : નેત્રંગમાં સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને આપી માહિતી
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કેન્દ્રમાં મોદી સરકારના 9 પૂર્ણ થતાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ તાલુકામાં જનસંપર્ક અભિયાનના ભાગરૂપે અનાજ-કરીયાણાના વેપારી, ડોક્ટર, સરકારી દવાખાનાના કર્મીઓ, વકીલો અને પાણી-પુરવઠાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પાંચસીમ ગામે ચાલતા પુલના નિર્માણની કામગીરી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનતા આવાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ જનસંપર્ક કાર્યક્રમ થકી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Next Story