ભરૂચ: કસક સર્કલ નજીક વરસાદી પાણી સાથે ગટરનું પ્રદુષિત પાણી ફરી વળ્યું

ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો 

New Update

ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કસક સર્કલ પાસે જમા થયેલ ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો 

દર ચોમાસાની સિઝનમાં શીતલ સર્કલ તરફથી આવતી ગટર લાઇનનું દૂષિત દુર્ગંધ પાણી વરસાદી વાતાવરણમાં ભરુચના કસક સર્કલ પાસે જમા થતું હોય છે.હાલ બે દિવસથી ભરુચ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે.ત્યારે શીતલ સર્કલ તરફથી અંડર ગ્રાઉન્ડ ગટરનું દૂષિત પાણી કસક સર્કલ પાસે જમા થતાં વરસાદી પાણી સાથે ભળી જતાં અત્યંત દુર્ગંધ મારતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ત્યારે ભરુચ નગર પાલિકા યોગ્ય પગલાં ભરી કેટલાક ચોકઅપ ગટરો સાફ કરાવે તો વરસાદી પાણી સાથે દૂષિત પાણી સીધું કાંસ વાટે નિકાલ કરી શક્ય તેમ છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.