કચ્છ : ચિત્રોડ ગામે બિન અધિકૃત દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરાયા

New Update

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામે વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં વર્ષોથી ઉભા કરાયેલ 33 જેટલા બિન અધિકૃત દબાણોને ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે, ડીડીઓ ભવ્ય વર્મા, તાલુકા વિકાસ અધિકાર આર.કે.રાઠવાની સૂચનાથી એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારની આસપાસ કરાયેલા 33 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ચિત્રોડ ગામના સરપંચ અને તલાટી, વિસ્તરણ અધિકારી સહિતના આગેવાનોની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.