Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજના જાણીતા હવામાનશાસ્ત્રીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 10 લાખના માલમત્તાની ચોરી

કચ્છ : ભુજના જાણીતા હવામાનશાસ્ત્રીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 10 લાખના માલમત્તાની ચોરી
X

ભુજમાં તસ્કરો બેખોફ બન્યા હોય તેમ 4 દિવસના ટૂંકાગાળામાં ચોરીની બીજી ઘટના બની છે આ વખતે તસ્કરોએ સામાન્ય વેપારી નહિ પણ વરસાદની આગાહી કરતા હવામાન શાસ્ત્રીના ઘરે જ ખાતર પાડ્યું છે. ભુજના નવી રાવલવાડી વિસ્તારમાં નરસિંહ મહેતા નગરમાં આવેલા અંબિકા ચોકમાં ભુજ ના હવામાન શાસ્ત્રી રાકેશ કુમારના ઘરે આ ઘટના બની હતી.


બારી તોડી ઘરમાં ઘુસી આવેલા તસ્કરો રોકડ, દાગીના સહિત દસેક લાખની મતા તફડાવી ગયા હોવાનું અનુમાન લગાવાયું છે. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ કરી હતી.એક તરફ અરિહંત નગરમાં સાતમના દિવસે થયેલી 7 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં બીજી ચોરીના બનાવે ચકચાર જગાવી છે. સમગ્ર શહેરમાં નાકાબંધી કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story