Connect Gujarat
ગુજરાત

રાજયમાં ઊદ્યોગકારો માટે સરકારે 500 કરોડ રૂપિયાની રાહત – સહાય જાહેર કરી

રાજયમાં ઊદ્યોગકારો માટે સરકારે 500 કરોડ રૂપિયાની રાહત – સહાય જાહેર કરી
X

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.જી.આઈ.ડી.સીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત અને ઊદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠકના પગલે જી.આઈ.ડી.સી દ્વારા ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેનાથી GIDCના ઊદ્યોગકારોને અંદાજે રૂ.500 કરોડની રાહત-સહાય મળશે.

કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક પ્રતિકુળ સહાયથી પૂન:બેઠા થવા માટેની રાહત આપતા મહત્વના નિર્ણયો કર્યા છે. GIDCના મેનેજિંગ ડિરેક્ટર ઠેન્નારસને એ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં લેવામાં આવેલા અન્ય નિતી વિષયક નિર્ણયોની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, વિવિધ ઔદ્યોગિક વસાહત મંડળોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ફાળવણીદારો માટે નિયત કરાયેલો ભાવ વધારો આ વર્ષ માટે મોફૂફ રાખવાની રજૂઆતો કરી હતી. વિજય રૂપાણીએ આ રજૂઆતોનો પણ સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતા નિર્ણય કર્યો છે કે, GIDCની ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોના જમીન તથા બહુમાળી શેડોના ફાળવણીદારોને કોવીડ-૧૯ ની મહામારી તથા તે દરમ્યાન થયેલ લોકડાઉનની ઉદ્યોગો પર થઈ રહેલ વિપરીત્ત અસરોને પરિણામે આર્થિક બોજો ન પડે તે હેતુસર નિગમની વસાહતો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧–૨૨ માટે નિયત કરેલ ભાવ વધારો આ વર્ષ માટે મોકુફ રાખીને ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧ના ફાળવણી દર નકકી કરવામાં આવ્યા છે. અંદાજીત રૂ. ૨૬ કરોડની રાહત આ નિર્ણયને પરિણાને ઊદ્યોગકારોને મળશે.

તદઉપરાંત વધુ માંગ ધરાવતી સાયખા, સાયખા વુમન્સ પાર્ક, સાયખા એમ.એસ.એમ.ઈ. પાર્ક, દહેજ, હાલોલ અને હાલોલ (વિસ્તરણ) વસાહતનો વર્ષ : ૨૦૨૧–૨૨ માટે નકકી કરેલ ભાવ વધારો થયાવત્ રાખવામાં આવ્યો છે. GIDC દ્વારા નવા કરવાના થતા બાંધકામ વિસ્તારના નકશા મંજુર કરતી વખતે સર્વિસ અને એમીનીટીઝ ફી પેટે પ્રતિ ચો. મી. રૂ .૫૦ વસુલ કરવામાં આવે છે. આ ૨કમને સંબંધિત વસાહતના કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ હેઠળના કામો માટે મહત્તમ રૂ. ૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦ % રકમ તથા નિગમ દ્વારા હાથ ધરવામાં આવનાર ખાસ જરૂરીયાતવાળા (Mandatory) કામો, ઊદ્યોગકારોની મિલ્કતોની માપણી, સર્વે, સ્થળ નિરીક્ષણ રિપોર્ટ, જરૂરીયાત મુજબ વસાહતની આંતરમાળખાકીય સુવિધા, પર્યાવરણ માટેના અભ્યાસ વગેરેની કામગીરી માટે રૂા.૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦% ૨કમ વપરાશ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ અંતર્ગત ૧૩૮ વસાહતોને આશરે રૂ. ૭૧.૩૦ કરોડનો લાભ મળવા પાત્ર થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વર્ષ ૨૦૦૯-૨૦૧૯થી ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડની રચના કરવામાં આવેલી છે. તે અંતર્ગત વિવિધ વસાહતોમાં પ્રતિ ચો.મી. રૂ. ૫ લેખે વસુલાત કરી તે પૈકી રૂ.૩ નિગમે વસાહતોના નવીનીકરણના કામો માટે આપેલ ફાળા પેટે રાખવાના તથા રૂ .૨ જે તે ઔદ્યોગિક વસાહત મંડળોને વસાહતની નિભાવણી માટે ફાળવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

GIDC દ્વારા હાથ ધરવામાં આવેલા આવા પ્રોજેક્ટ્સમાં થયેલ ખર્ચ પેટે એસોસીએશનના ફાળાની વણવસુલાયેલ રકમ નિગમના વર્ષ ૨૦૧૦ના પરિપત્ર મુજબ વસુલ થયેલ "ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડ" પૈકી રૂ.૨ લેખે ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને ફાળવવાની થતી ઉપલબ્ધ રકમમાંથી સરભર કરી બાકીની બચતની રકમ સંબંધિત ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને નિભાવણી ફંડ પેટે ફાળવી આપવાની રહેશે. રૂ.૨ લેખે વસુલ કરેલ ૨કમમાંથી વસાહત મંડળના ફાળા પેટે અંદાજે રૂ.૩૩.૨૪ કરોડ સંબંધિત ૫૯ વસાહત મંડળને નિભાવણી ફંડ પેટે ફાળવવાનો અંદાજ છે.

Next Story