વલસાડ : વરસાદના વિરામ બાદ શરૂ કરાયેલ રોડ મરામત કામગીરીનું રાજ્યમંત્રી કનુ દેસાઇએ નિરક્ષણ કર્યું

વાપી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા વાપીથી નાશિક રોડ અને વાપીથી સેલવાસ રોડ ભારે વરસાદના કારણે ખરાબ થઇ જવા પામ્યા હતા.

New Update

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા વાપીથી નાશિક રોડ અને વાપીથી સેલવાસ રોડ ભારે વરસાદના કારણે ખરાબ થઇ જવા પામ્યા હતા.

Advertisment

હાલમાં વરસાદ બંધ થવાથી પાણી ઓસરતા જ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનવ્યવહારને પૂર્વવત કરવા માટે આ માર્ગોનું ત્વરાથી રીસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીનું નિરક્ષણ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઇએ કર્યું હતું. રાજ્યમંત્રીની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories