અનેક મોટા રોગથી લઈને સ્કીન અને વાળની સમસ્યામાં રામબાણ છે આ blue કલરનું નાનકડું ફૂલ, જાણો તેના ફાયદા.....
સુંદર અને બ્લૂ કલરનું નાનકડું અપરાજીતાનું ફૂલ લોકો પુજા પાઠ દરમિયાન ઉપયોગમાં લે છે. આ ફૂલ હેલ્થ માટે ખૂબ જ ફાયદારૂપ છે.
સુંદર અને બ્લૂ કલરનું નાનકડું અપરાજીતાનું ફૂલ લોકો પુજા પાઠ દરમિયાન ઉપયોગમાં લે છે. આ ફૂલ હેલ્થ માટે ખૂબ જ ફાયદારૂપ છે. તેમાં એંટીઓક્સિડેન્ટ ની માત્રા ભરપૂર હોય છે. પી કોમેરિક એસિડ, ગ્લાઇકોસાઈડ જેવા એંટીઓક્સિડેન્ટના કારણે આ ફૂલ અનેક બીમારીઓમાં રાહત આપવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ આ ફૂલના ફાયદા.....
· ઇમ્યુનિટી બુસ્ટર
અપરાજીતાનું ફૂલ એંટીઓક્દિડેન્ટ ગુણના કારણે ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવા લાભદાયી છે. આ ઇન્ફ્લેમેશન અને ઇન્ફેકશનથી બચવામાં મદદ કરે છે.
· વજન ઘટાડવામાં ફાયદાકારક
અપરાજીતાનું ફૂલ વજન ઘટાડવામાં લાભદાયી સાબિત થાય છે. આ ફૂલથી બનેલી ચા બોડીમાં મેટાબોલીઝમને વધારે છે અને બોડીમાં ફેટ બનવા દેતું નથી.
· હાર્ટની તકલીફમાં લાભદાયી
અપરાજીતાનું ફૂલ અનેક તત્વોથી ભરપૂર છે. જે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ ડીસીઝનું રિસ્ક ઘટે છે.
· કેન્સરનો ખતરો ઓછો રહે છે
અપરાજીતાના ફૂલનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટે છે. આ ફૂલમાં રહેલા એંટીઓક્સિડેન્ટ કેન્સરના સેલને વધવાથી રોકવામાં મદદરૂપ થાય છે. આમ આ ફૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
· ડાયાબિટીસમાં પણ લાભદાયી આ ફૂલ
અપરાજીતાના ફૂલથી બનેલી ચા એન્ટિ ડાયાબિટીક ગૂંણથી ભરપૂર છે. તેનાથી બોડીમાં ઇન્સ્યુલીનને બેલેન્સ રાખવામા મદદ કરે છે. તેનાથી બ્લડ સુગરની સમસ્યા થતી નથી.
· સ્કીન અને વાળ માટે લાભદાયી
અપરાજીતાના પાનમાં રહેલૂ ફ્લેવેનોઈડ વાળને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. અને વાળના ગ્રોથને વધારે છે. તેમાથી મળતું એંટીઓક્સિડેંટ્સ સ્કિનને ફ્રી રેડિકલ્સથી થનારા નુકશાનથી બચાવે છે.