વસંત-ઉનાળાની ઋતુમાં ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે આ ટિપ્સ તેની ચમક પણ જાળવી રાખશે

આ ઋતુમાં પણ ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે અને કાળજીના અભાવે તે નિસ્તેજ અને નિર્જીવ દેખાવા લાગે છે.

New Update

મોસમ બદલાવાની શરૂઆત થઈ ગઈ છે. આ ઋતુમાં પણ ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે અને કાળજીના અભાવે તે નિસ્તેજ અને નિર્જીવ દેખાવા લાગે છે. તો આવી સ્થિતિમાં તમારે તમારી દિનચર્યામાં ચોક્કસ પ્રકારની ત્વચા સંભાળને સામેલ કરવી જોઈએ. શું ગમે છે? આજે આ વિશે વાત કરશે.

1. ડ્રાય બ્રશિંગ કરો :

ડ્રાય બ્રશિંગ મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તો આ માટે બ્રશ પસંદ કરો, જે પ્લાસ્ટિક નહીં પણ કુદરતી ફાઈબરથી બનેલું હોય. કુદરતી રેસાથી બનેલું બ્રશ ત્વચા પર રફ નથી હોતું.

2. ચહેરાને મોઇશ્ચરાઇઝ કરો :

બ્રેકઆઉટ અને બળતરાને રોકવા માટે તમારા ચહેરાને ધોયા પછી મોઇશ્ચરાઇઝર લગાવો. તમે જોયું જ હશે કે શિયાળામાં ધોયા પછી ત્વચા કેવી રીતે ખેંચાય છે, આવી સ્થિતિમાં મોઇશ્ચરાઇઝર આ સમસ્યાનો યોગ્ય ઉપાય છે.

3. એક્સફોલિએટિંગ ક્લીન્સર લાગુ કરો :

દિવસમાં એકવાર ત્વચાને સાફ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, અન્યથા તે મૃત કોષોના સંચય તરફ દોરી જાય છે. બજારમાંથી તમારી ત્વચા પ્રમાણે સારું ક્લીંઝર ખરીદો અને તેની સાથે દરરોજ ત્વચાને એક્સફોલિએટ કરો.

4. ટેનિંગ ટાળો :

સૂર્યના વધુ પડતા સંપર્કથી ત્વચાને ઘણું નુકસાન થઈ શકે છે. સનબર્નથી બચવા માટે, બહાર નીકળવાના ઓછામાં ઓછા અડધા કલાક પહેલા સનસ્ક્રીન લગાવો. જે ત્વચાને ટેનિંગથી ઘણી હદ સુધી બચાવે છે.

5. પિમ્પલ્સ પોપ કરશો નહીં :

જો તમારા ચહેરા પર ફોલ્લીઓ અથવા ખીલ હોય, તો તેને પોપ કરવાનું ટાળો. પિમ્પલ્સને વારંવાર સ્પર્શ કરવાથી ચહેરા પર નિશાન પડી જાય છે અને બળતરા પણ થાય છે. તેથી તેને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખો. આ માટે તમે એન્ટિસ્પોટ ટ્રીટમેન્ટ પણ લઈ શકો છો, જે તમને આ સમસ્યાથી ઘણી હદ સુધી બચાવે છે. 

Read the Next Article

યોગાસનો તમારા હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બનાવે છે બળવાન

શરીરની અંદર ઉત્પન્ન થતાં મળો જેવાં કે વિષ્ટા, મૂત્ર, કફ, કાર્બનડાયોકસાઈડ વગેરે વિના વિલંબે અને નિ:શેષ રીતે બહાર નીકળતા રહે, તે શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

New Update
yoga

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે હોજરી, મોટું આતરડું, નાનું આતરડું અને પેટનાં સ્નાયુઓ સ્વસ્થ હોય તે જરૂરી છે. ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, ધર્મમત્સ્યેન્દ્રાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન વગેરે યોગાસનો આ કાર્ય સારી રીતે કરે છે.

યોગાસનોનો અભ્યાસ હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બળવાન બનાવે છે. શિરા અને ધમનીઓ તથા રક્તવાહિનીઓની દીવાલોને મજબૂત બનાવવામાં તેમ જ કાર્યક્ષમ બનાવવામાં અને શરીરમાં છેક દૂરના ખુણા સુધી લોહી પહોંચાડવામાં યોગાસનોનો અભ્યાસ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે. આ રીતે યોગાસનોના અભ્યાસથી રુધિરાભિસરણ તંત્ર પણ સ્વસ્થ રાખી શકાય તેમ છે.

શરીરની અંદર ઉત્પન્ન થતાં મળો જેવાં કે વિષ્ટા, મૂત્ર, કફ, કાર્બનડાયોકસાઈડ વગેરે વિના વિલંબે અને નિ:શેષ રીતે બહાર નીકળતા રહે, તે શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

  • ફેફસાં, શ્વાસનળી વગેરે શ્વાસનતંત્રનાં અવયવો સ્વસ્થ અને કાર્યક્ષમ હોય તે જરૂરી છે. મયુરાસન, શલભાસન અને બીજાં અનેક આસનો આ કાર્ય સારી રીતે કરી શકે તેમ છે.
  • મોટું આંતરડું, મલાશય અને પેટના સ્નાયુઓ સ્વસ્થ અને કાર્યક્ષમ હોવા જોઈએ. આ કાર્ય સુપ્ત વજ્રાસન, વજ્રાસન, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન આદિ કરી શકે છે.
  • આ જ આસનો કિડની અને મૂત્રાશયને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે.
    ઉપર્યુકત હકીકતોથી સ્પષ્ટ થાય છે કે શારીરિક સ્વાસ્થ્ય માટે યોગાસનોનો અભ્યાસ ખૂબ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે.

શરીરના સ્વાસ્થ્ય ઉપરાંત શરીરની સ્થિરતા, અંગલાધન અને દૃઢતાથી કેળવણી માટે પણ યોગાસનોનો અભ્યાસ ઉપયોગી થાય છે. ‘હઠપ્રદીપિકા’ અને ‘ઘેરંડ સંહિતા’ આ વિશે શું કહે છે, તે આપણે પ્રારંભમાં જ જોયું છે.

યોગ એક સૂક્ષ્મ વિજ્ઞાન છે. યોગ એમ માને છે કે આપણા સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણમય શરીર છે. આ પ્રાણામય શરીરનાં પ્રવાહો, નાડીઓ, ચક્રો, કુંડલિની અને તેનું જાગરણ આદિ અનેક વિગતોનું સૂક્ષ્મ વર્ણન શિવદ સ્વરૂપે યૌગિક ગ્ંરથોમાં જોવાં મળે છે.

અધ્યાત્મસાધનમાં પ્રાણ ખૂબ મહત્ત્વનું સાધન છે. પ્રાણ જીવનની શક્તિ છે. પ્રાણ શક્તિનો સ્રોત છે. પ્રાણ શરીર અને ચિત્ત, બંને સાથે જોડાયેલા છે. તેથી પ્રાણની બંને પર અસર થાય છે. પ્રાણનો મહિમા આમ તો સર્વ સાધનમાર્ગમાં છે જ; આમ છતાં યોગમાર્ગમાં અને તેમાં પણ હઠયોગમાં તો પ્રાણને સૌથી વિશેષ મહત્વનું સાધન ગણવામાં આવે છે. અધ્યાત્મપથમા અને ખાસ કરીને યોગમાર્ગમાં પ્રાણની કેળવણી સંબંધિત ચાર ઘટનાઓને ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે.

આરોગ્ય અંગેનો યોગનો ખ્યાલ આપણા પ્રચલિત ખ્યાલ કરતાં ઘણો યોગ આરોગ્યનો સંબંધ પ્રાણની ગતિ સાથે જોડે છે. અતિ પ્રાચીન ગણાતા સાહિત્યમાં આ વિશે આવો ઉલ્લેખ મળે છે.

લઢૄરિુર્ખીં રુમરુરુર્ખીં રુદ્યઢળ।
રુમરુરુર્ખીં પૈટ્ટર્રૂૂૈ લઊૃં઼રિુર્ખીં અપૈટપ્ર॥

‘તે પ્રાણનાં બે સ્વરૂપો છે- સધ્રીચિ અને વિષૂચિ. વિષૂચિ મૃત્યુ સમાન અને સધ્રીચિ અમૃત સમાન છે.’

સધ્રીચિ એટલે સુસંવાદી, સમરૂપ, વિષચિ એટલે વિષમરૂમ, વિસંવાદી.

વિષૂચિ પ્રાણને મૃત્યુસમાન ગણેલ છે. આનો અર્થ એમ છે કે વિષૂચિ પ્રાણ શરીર અને ચિત્ત, બંને માટે અનારોગ્યનું કારણ બને છે. પ્રાણનું આ સ્વરૂપ અધ્યાત્મયાત્રામાં પ્રતિકૂળ બને છે. સુધ્રીચિ પ્રાણને અમૃત સમન ગણ્યો છે. પ્રાણનું આ સ્વરૂપ શરીર અને ચિત્ત માટે આરોગ્યપ્રદ છે અને અધ્યાત્મયાત્રા માટે અનુકૂળ બને છે.

પ્રાણના પ્રવાહોને વિષૂચિમાંથી સધ્રીચિ બનાવવાનું કાર્ય યૌગિક ક્રિયાઓ કરે છે. યોગાસનો શરીરની નિશ્ર્ચિત અવસ્થા દ્વારા પ્રાણના પ્રવાહોને નિશ્ર્ચિત ગતિ આપે છે. અન્ય યૌગિક ક્રિયાઓની સાથે યોગાસન પ્રાણના પ્રવાહો પર અસર કરીને વિષૂચિ પ્રાણને સધ્રીચિ બનાવવામાં સહાયભૂત થાય છે.

આ રીતે યોગાસનનો અભ્યાસ શરીને સ્વાસ્થ્ય આપે છે અને ચિત્તને પણ સ્વસ્થ બનાવવામાં સહાયક બને છે. યોગાસનના અભ્યાસ દ્વારા મળેલું આ સ્વાસ્થ્ય વધુ સ્થાયી, સાચું અને ઊંડું હોય છે, કારણ કે આ આરોગ્ય પ્રાણમય શરીરના રૂપાંતર દ્વારા સિદ્ધ થયું છે.

પ્રાણના સ્વરૂપમાં રૂપાંતર કરીને યોગાસનનો અભ્યાસ અધ્યાત્મયાત્રાને પણ સુકર બનાવે છે.

યોગાસનનો પ્રથમ દૃષ્ટિએ શરીરની અવસ્થા જણાય છે, પરંતુ વસ્તુત: તે મનોશારીકિક અવસ્થા છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગાસનોનો અભ્યાસ ઉપયોગી બને છે

Yoga | Importance of Yoga | healthy lifestyle | Health Care Tips 

Latest Stories