અમિત શાહને મળ્યા શરદ પવાર; NCP પ્રમુખે જણાવ્યું કે કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડના પ્રમુખ જયપ્રકાશ દાંડેગાંવકર અને પ્રકાશ નાયકનવરે પણ હાજર હતા. તે બધા ખાંડ સહકારી ક્ષેત્રમાં પડકારો વિશે ચર્ચા કરવા આવ્યા હતા. આ બેઠક બાદ શરદ પવારે કહ્યું કે અમિત શાહ સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે.
NCP સુપ્રીમોએ ટ્વિટ કર્યું કે સૌ પ્રથમ હું અમિત શાહને દેશના પ્રથમ સહકારી મંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન અમે દેશની હાલની ખાંડની સ્થિતિ અને વધુ પડતા ખાંડના ઉત્પાદનમાં આવી રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.
Had a brief meeting with Union Co-operation Minister Shri Amit Shah in New Delhi today along with Shri Jaiprakash Dandegaonkar,President of NFCSF (National Federation of Cooperative Sugar Factories Ltd) & Prakash Naiknavre to discuss issues faced by the sugar co-operative sector. pic.twitter.com/4jroaBrsGs
— Sharad Pawar (@PawarSpeaks) August 3, 2021
શરદ પવારે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન અમે એમએસપી જેવા બે અત્યંત તાત્કાલિક અને ગંભીર મુદ્દાઓ અને ખાંડ મિલોના પરિસરમાં ઇથેનોલ ઉત્પાદન એકમો સ્થાપવા માટેની પરવાનગી તેમના ધ્યાન પર લાવી હતી. અમે આશા રાખીએ છીએ કે આ મુદ્દાઓ સહકાર મંત્રી દ્વારા વહેલી તકે વિચારવામાં આવશે અને ઉકેલવામાં આવશે.