Connect Gujarat
દેશ

અરવિંદ કેજરીવાલે ગુજરાત "આપ"ને આપી શીખ, થોડા પૈસા અને પદ માટે વેચાઈના જતા

અરવિંદ કેજરીવાલે ગુજરાત આપને આપી શીખ, થોડા પૈસા અને પદ માટે વેચાઈના જતા
X

રાજ્યના સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAP ને મળેલા વોટ અંગે દિલ્હીમાં પ્રદેશ સંગઠનને કેજરીવાલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો.'આપ'ના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામને લઈને એવો દાવો કર્યો હતો કે ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસથી પરેશાન છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે.રાજ્યમાં આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે અને આમ આદમી પાર્ટી અસરકારક વિકલ્પ ના રૂપમાં લોકોને જણાશે ત્યાં જ લોકો મત આપશે. સુરતથી ચૂંટાયેલા કોર્પોરેટર્સ તેમજ ગાંધીનગર થી ચૂંટાયેલા કાઉન્સિલર દિલ્હી વિધાનસભા ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને રૂબરૂ મળ્યા હતા. કેજરીવાલે તમામ કાઉન્સિલર સાથે વિસ્તારથી ચર્ચા કરીને સૌને માર્ગદર્શન આપ્યું હતું.કેજરીવાલે દિલ્હી વિધાનસભા ખાતે AAPના ચૂંટાયેલા કોર્પોરેટરો અને અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જેવી રીતે અમે દિલ્હીમાં સારું કામ કર્યું એવી વાત ગુજરાત સુધી પહોંચી, એવી જ રીતે સુરતમાં સારું કામ કરશો તો સમગ્ર રાજ્ય સુધીએ વાત પહોંચશે.

ગાંધીનગરમાં એક મહિનાની મહેનતમાં જ આપણને 22 ટકા મત મળ્યા એ બદલ અભિનંદન પાઠવતા કેજરીવાલે કહ્યું હતું કે જો AAP મજબૂત વિકલ્પ તરીકે લોકો સમક્ષ ઉભરશે તો લોકો પણ આવકારવા માટે તૈયાર છે, પરંતુ જો લોકોને એમ લાગશે કે આપણે જવાના જ નથી તો લોકો મત આપવા માટે પણ તૈયાર નહીં થાય.AAPની ટીમને તેમણે 2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા અને વધુ મહેનત કરવા જણાવ્યું હતું. જો વધુ મહેનત કરશો તો સારું પરિણામ મળશે. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, એટલે વિધાનસભાની ચૂંટણી વખતે થોડા રૂપિયા કે પદ માટે વેચાઈ નહીં જવા માટે પણ પાર્ટીના કાર્યકરોને સ્પષ્ટપણે કહ્યું હતું.

Next Story