બિપિન રાવતે સર્જિકલ સ્ટ્રાઈકમાં ભજવી છે મહત્વની ભૂમિકા,વર્ષ 1978માં જોડાયા સેનામાં

તામિલનાડુના કુન્નુરમાં આજે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની સહિત 14 લોકો સામેલ હતાં.

New Update

તામિલનાડુના કુન્નુરમાં આજે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની સહિત 14 લોકો સામેલ હતાં.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 લોકોના મૃતદેહો મળ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત વિશે હજી કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. આ વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહ સંસદમાં નિવેદન આપવાના છે. બિપિન રાવતને ઊચાઈ પર યુદ્ધ લડવા અને કાઉન્ટર ઈમર્જન્સી ઓપરેશન એટલે કે વળતો જવાબ આપવાની કાર્યવાહીના એક્સપર્ટ માનવામાં આવે છે.વર્ષ 2016માં ઉરી સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા પછી આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનમાં આવેલી આતંકી શિબિરોને ધ્વસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી પૂરી પાડી હતી.ઉરીમાં સેનાના કેમ્પ અને પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં ઘણા જવાનો શહીદ થયા પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ-ઈસ્ટમાં ઘણો લાંબો સમય પસાર કર્યો હતો. બિપિન રાવતે કાશ્મીર ખીણમાં પહેલા નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને ત્યાર પછી મેજર જનરલ તરીકે ડિફેન્સ ડિવિઝનની કમાન સંભાળી હતી.સાઉથ કમાન્ડની કમાન સંભાળતાં તેમણે પાકિસ્તાનથી પશ્ચિમી સીમા પર મિકેનાઈઝ્ડ- વોરફેર સાથે એરફોર્સ અને નેવીની સાથે પણ સારો તાલમેલ ગોઠવ્યો હતો.ચીનની બોર્ડર પર બિપિન રાવત કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી ચૂક્યા છે.બિપિન રાવતને ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA)માં સ્વોર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવે છે.રાવતના ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ સાથે ભારતીય સેનાના 27મા સેનાધ્યક્ષ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.નોંધનીય છે કે બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958માં ઉત્તરાખંડના પૌડીમાં એક ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. બિપિન રાવતે 1978માં આર્મી જોઈન કરી હતી. તેમણે 2011માં ટૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીથી મિલિટરી મીડિયા સ્ટડીઝમાં પીએચડીની ડીગ્રી મેળવી હતી

Read the Next Article

દિલ્હી: યમુનાનદી આ વર્ષે ત્રીજી વખત ચેતવણી સ્તરને પાર, જળસ્તર ભયજનક સપાટી નજીક

ભારે વરસાદ અને વધુ પાણી છોડવાના કારણે દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 205.25 મીટર સુધી પહોંચી ગયું, જે ખતરાના નિશાનની નજીક છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર યોજનાઓ શરૂ થઈ.

New Update
yamuna

ભારે વરસાદ અને વધુ પાણી છોડવાના કારણે દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 205.25 મીટર સુધી પહોંચી ગયું, જે ખતરાના નિશાનની નજીક છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર યોજનાઓ શરૂ થઈ.

Advertisment

દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર શુક્રવારે એક મીટરથી વધુ વધ્યું, આ સિઝનના સૌથી ઊંચા બિંદુને સ્પર્શ્યું અને આ વર્ષે ત્રીજી વખત "ચેતવણી સ્તર" ને પાર કર્યું. અધિકારીઓને અપેક્ષા છે કે શનિવાર સવાર સુધીમાં આ વધારો ચાલુ રહેશે અને 205.3 મીટરના "ખતરાના નિશાન" ને પાર કરશે.

ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ અને હરિયાણામાં હાથનીકુંડ બેરેજમાંથી સતત ઊંચા પાણી છોડવાના કારણે આ વધારો થયો છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) અનુસાર, ઓલ્ડ રેલ્વે બ્રિજ પર માપવામાં આવેલી નદી - શુક્રવારે સવારે 8 વાગ્યે 203.9 મીટર હતી, બપોર સુધીમાં 204.5 મીટરના ચેતવણી સ્તર પર પહોંચી ગઈ, અને સાંજે 5 વાગ્યા સુધીમાં 205.07 મીટર સુધી વધી ગઈ, જે ખતરાના સ્તરથી માત્ર 23 સેમી ઓછી છે. 8 ઓગસ્ટના રોજ સિઝનનો અગાઉનો ટોચનો સ્તર 205.15 મીટર હતો.

CWC ડેટા દર્શાવે છે કે ગુરુવારે બપોરે 1 વાગ્યાથી હાથનીકુંડમાંથી કલાકદીઠ પાણી છોડવામાં 40,000 ક્યુસેકને વટાવી ગયું છે, જે તે જ દિવસે બપોરે 3 વાગ્યે 65,861 ક્યુસેક પર પહોંચી ગયું છે. આવા પ્રવાહને દિલ્હી પહોંચવામાં સામાન્ય રીતે લગભગ 48 કલાક લાગે છે, જેના કારણે ઓછામાં ઓછા શનિવાર સુધી વધુ વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

પૂર અને સિંચાઈ વિભાગે કહ્યું છે કે સ્તર 206 મીટર સુધી પહોંચ્યા પછી નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ થશે. સંવેદનશીલ વિસ્તારોમાં પહેલેથી જ જાહેરાતો ચાલી રહી છે, જેમાં રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હીના પાણી મંત્રી પરવેશ વર્મા, જેમણે ગયા અઠવાડિયે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું, તેમણે કહ્યું કે 2023 ના પૂરનું પુનરાવર્તન થવાની શક્યતા ઓછી છે. "ITO બેરેજના બધા દરવાજા ખુલ્લા છે. જો જરૂરી હોય તો લોકોને સુરક્ષિત વિસ્તારોમાં સુરક્ષિત રીતે ખસેડવાની યોજનાઓ અમલમાં છે. પૂર નિયંત્રણ ટીમો, ઇજનેરો અને રાહત કાર્યકરો ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. બધા બેરેજ, રેગ્યુલેટર, પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ સિસ્ટમનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, બેકઅપ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે," તેમણે કહ્યું.

 Heavy Rain | Delhi Rain | monsoon season | Yamuna Ghat

Latest Stories