નાશિકમાં મુસ્લિમ ધર્મગુરુની માથામાં ગોળી મારી કરી હત્યા
મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે એક મોટી ઘટના બની હતી. અહીંના યેઓલા શહેરમાં મુસ્લિમ સમુદાયના એક ધાર્મિક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
BY Connect Gujarat6 July 2022 4:53 AM GMT
X
Connect Gujarat6 July 2022 4:53 AM GMT
મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે એક મોટી ઘટના બની હતી. અહીંના યેઓલા શહેરમાં મુસ્લિમ સમુદાયના એક ધાર્મિક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, 35 વર્ષીય મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ ચિશ્તી તરીકે થઈ છે. તેઓ યેવલામાં સૂફી બાબા તરીકે જાણીતા હતા. જો કે હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
ખ્યાજા સૈયદ ચિશ્તી અફઘાનિસ્તાનનો રહેવાસી હતો. જોકે, તે નાસિકમાં રહેતો હતો. હુમલાખોરોએ તેને માથામાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ચાર હુમલાખોરોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. સ્થળ પરથી તેની એસયુવી જપ્ત કરવામાં આવી છે. જોકે, ગુનો કર્યા બાદ ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. સતત દરોડા ચાલુ છે.
Next Story