ભારતમાં કોરોના સામેની જંગમાં નાઈટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી, WHOના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવી ચોંકાવનારી વિગતો

એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે ભારત જેવા દેશોએ વાયરસ ફેલાવાને રોકવા માટે સાયન્સ આધારિત નીતિઓ બનાવવી જોઈએ

New Update

WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યારે કોવિડ-19ના નલા વેરિયન્ટના ઓમિક્રોનના ફેલાવાને પહોંચી વળવાની વાત આવે છે ત્યારે નાઇટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી. એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે ભારત જેવા દેશોએ વાયરસ ફેલાવાને રોકવા માટે સાયન્સ આધારિત નીતિઓ બનાવવી જોઈએ.સૌમ્યાએ કહ્યું, 'નાઈટ કર્ફ્યુ જેવી બાબતો પાછળ કોઈ સાયન્સ નથી. પુરાવા આધારિત પગલાં લેવા પડશે. જાહેર આરોગ્યના પગલાંની સંપૂર્ણ સૂચિ છે. સ્વામીનાથને કહ્યું, 'મનોરંજન સ્થાનો એવી જગ્યાઓ છે જ્યાં આ વાયરસ સૌથી વધુ ફેલાય છે. ત્યાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવે તે સ્વાભાવિક છે. તેમણે કહ્યું કે ભારતીયોએ તૈયાર રહેવાની જરૂર છે, ગભરાવાની નહીં.

Advertisment

WHO વૈજ્ઞાનિકે કહ્યું, 'અમે ભારતમાં ઓમિક્રોન કેસમાં વધારો જોવાની અપેક્ષા રાખી શકીએ છીએ, મને લાગે છે કે તે હમણાં જ કેટલાક શહેરોમાં શરૂ થઈ રહ્યું છે અને ઘણા લોકોને સંક્રમિત કરશે.' છેલ્લા 24 કલાકમાં ઝડપથી ફેલાતા કોવિડ વેરિયન્ટ ઓમિક્રોનના 309 નવા કેસ મળી આવતા, શુક્રવારે ભારતમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે. જેમાંથી 374ને રજા આપવામાં આવી છે.23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન સંક્રમણ નોંધાયો છે, જેમાં મહારાષ્ટ્ર સૌથી વધુ 450 કેસો નોધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, આમાંથી 125 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે બીજા નંબર પર દિલ્હીમાં 320 ઓમિક્રોન સંક્રમણના બીજા સૌથી વધુ કેસ છે. જોકે, તેમાંથી 57ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Advertisment
Read the Next Article

IRCTC એ રેલ મુસાફરોની સુવિધા માટે નવી SwaRail એપ કરી લોન્ચ

IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ રેલ મુસાફરોની સુવિધા માટે નવી SwaRail   એપ લોન્ચ કરી છે. જોકે, આ મોબાઇલ એપ હાલમાં એન્ડ્રોઇડ પર ટેસ્ટિંગ મોડમાં છે

New Update
irtcirtc 11

IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ રેલ મુસાફરોની સુવિધા માટે નવી SwaRail   એપ લોન્ચ કરી છે.

Advertisment

જોકે, આ મોબાઇલ એપ હાલમાં એન્ડ્રોઇડ પર ટેસ્ટિંગ મોડમાં છે અને ટૂંક સમયમાં બધા મોબાઇલ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. આ એપ દ્વારા રેલવે મુસાફરો માત્ર રિઝર્વ ટિકિટ જ નહીં પરંતુ અનરિઝર્વ ટિકિટ તેમજ પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરાવી શકશે. તમને જણાવી દઈએ કે હાલમાં રેલવે મુસાફરોને રિઝર્વે  અને અનરિઝર્વ્ડ  ટિકિટ બુક કરવા માટે અલગ અલગ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. હાલમાં, અનરિઝર્વ્ડ ટિકિટ ફક્ત UTS એપ પર જ બુક કરાવી શકાય છે.

SwaRail  એપ પર  મુસાફરોને ફક્ત તેમની ટ્રેન જ નહીં પરંતુ તેમની સમગ્ર મુસાફરીને લગતી તમામ સુવિધાઓ સરળતાથી મળશે. SwaRail  એપ પર, તમે રૂટ પર દોડતી બધી ટ્રેનો, તેમના રૂટ, સમય અને સ્ટોપેજ વિશે માહિતી મેળવી શકો છો. આ મોબાઇલ એપ પર, તમે PNR સ્ટેટસ, કોચ પોઝિશન, રનિંગ સ્ટેટસ (લાઈવ ટ્રેન ટ્રેકિંગ) ચેક કરી શકો છો અને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકો છો. રિફંડ માટે ફાઇલિંગ એપ પર પણ કરી શકાય છે. આ ઉપરાંત, તમે આ એપ પર તમારા પ્રવાસના અનુભવો પણ પ્રતિસાદ તરીકે શેર કરી શકો છો.

SwaRail  એપની સૌથી ખાસ વાત એ છે કે તમે તેના દ્વારા રેલ હેલ્પ સુવિધાનો પણ ઉપયોગ કરી શકો છો. રેલ મદદ એ ટ્રેન મુસાફરો માટે ખૂબ જ જરૂરી પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી ટ્રેન મુસાફરી સંબંધિત કોઈપણ પ્રકારની અસુવિધા માટે ફરિયાદ નોંધાવી શકો છો. આ ઉપરાંત, આના દ્વારા તમે તાત્કાલિક સુરક્ષા અને તબીબી સહાય માટે સીધા રેલ્વેનો સંપર્ક કરી શકો છો. આ એપ હજુ સુધી iPhone વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી. જોકે, આ એપ બધા માટે ઉપલબ્ધ થવામાં હજુ થોડો સમય લાગશે.  

Advertisment
Latest Stories