રાજકોટ : કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં પડયાં ફાંટા, કારોબારી સમિતિના ચેરપર્સનનું રાજીનામું

New Update
રાજકોટ : કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં પડયાં ફાંટા, કારોબારી સમિતિના ચેરપર્સનનું રાજીનામું

કોંગ્રેસ

શાસિત રાજકોટ જિલ્લા પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. આજે જિલ્લા પંચાયતમાં

કારોબારી બેઠક મળે તે પહેલાં જ  કારોબારી સમિતિના ચેરપર્સન રેખાબેન પટોળીયાએ રાજીનામું ધરી દેતા

કોંગ્રેસમાંથી ભાજપમાં ભળનાર રેખાબેન સહિત બળવાખોર જૂથમાં હવે ફાંટા પડ્યા હોવાની

ચર્ચા ચાલી રહી છે. 

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના સભ્યોએ ચેરપર્સન સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવાની જાહેરાત કરી હતી. સમિતિના 9 સભ્યોમાંથી 6 સભ્યોએ ચેરપર્સન વિરૂધ્ધ મોરચો ખોલ્યો હતો. સોમવારના રોજ સમિતિની બેઠક મળે તે પહેલાં જ રેખાબેને રાજીનામું ધરી દીધું હતું. પરંતુ પ્રમુખ દ્વારા હજુ સુધી રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના આગેવાન અર્જુન ખાખરીયા જણાવ્યું હતું કે કોંગ્રેસને આ બાબતે કાંઈ લેવાદેવા નથી બાગી સભ્યોને કોંગ્રેસ પહેલા જ સસ્પેન્ડ કરી ચૂકી છે ત્યારે બાગી સભ્યો ની અંદરોઅંદર ની લડાઈના કારણે રેખાબેનને રાજીનામું આપવાની ફરજ પડી છે.

બળવાખોર  જૂથના આગેવાન કેપી પાદરીયા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારોબારી સમિતિમાં સંકલનના અભાવે અને કામ ન થતાં હોવાના કારણે અમે છ સભ્યોએ સાથે મળી રેખાબેન પટોડીયા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે છ સભ્યો માંથી કોઇપણ કારોબારી ચેરમેન બની શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કે.પી. પાદરીયા સામે સોલાર કૌભાંડમાં કોન્ટ્રાક્ટર સાથે મીલીભગતને લઈને એસીબીમાં લાંચ નો કેસ થયો હતો ત્યારે હવે જિલ્લા પંચાયતમાં બાગી સભ્યોમાંથી નવા ચેરમેન કોણ બનશે તે એક મોટો પ્રશ્ન છે

Read the Next Article

ભાવનગર :  અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે કરાયો પ્રારંભ

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો

New Update
  • સૌરાષ્ટ્રવાસીઓને નવી એક ટ્રેનની સુવિધા મળી 

  • અયોધ્યા જવા માટે ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે મંત્રીના હસ્તે કરાયો ટ્રેન સુવિધાનો પ્રારંભ

  • રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત

  • વ્યાપાર,વાણીજય,પ્રવાસનને વેગ મળવાની આશા

ભાવનગરથી અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે પ્રારંભ કરાયો હતો.11 ઓગસ્ટથી આ ટ્રેન ભાવનગર અયોધ્યા વચ્ચે નિયમિત દોડશે.

સૌરાષ્ટ્રવાસીઓને અયોધ્યા જવા માટે નવી એક ટ્રેનની સુવિધા મળી છે.ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાવનગરમાં બે નવા રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર-રાજકોટ વાયા વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પૈકી એક ટ્રેન દરરોજ અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. આ ટ્રેન શરૂ થતા રાજકોટજૂનાગઢ અને પોરબંદર જિલ્લાના લોકોને લાભ થશે. ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અન્ય રેલવેના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે.

ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો હતો. ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને આજે રવિવારના રોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી સવારે 11 કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 11 ઓગસ્ટથી આ ટ્રેન નિયમિત ભાવનગર-અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક દોડશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ મંડાવીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકસીત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની 3જી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.આર્થિક ગતિવિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટપોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપારવાણીજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતી મળશે.લોકો  માટે આગમન સુગમ અને સુવિધાયુક્ત બનશે તથા વિકસીત ભારતની સાથે જ વિકસીત રાજકોટવિકસીત પોરબંદર અને વિકસીત જુનાગઢનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે.

સૌરાષ્ટ્રવાસીઓને નવી ટ્રેન અને વિકાસલક્ષી આયામોની ભેટ મળતા આંદોલનકારી રાકેશ લાધલાનીએ ખુશી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.અને વિદ્યાર્થી આગેવાન તરીકે ટ્રેન સુવિધા માટે કરેલા આંદોલન અને સંઘર્ષનું વર્ષો લોકોની સુખાકારી માટે સુખદ સફળતા પૂર્વકનું પરિણામ મળ્યું છે.