Connect Gujarat
સુરત 

સુરત : સામાન્ય બોલાચાલીમાં 15થી વધુ વખત છરીના ઘા ઝીંકી મિત્રએ જ કરી મિત્રની હત્યા..!

2 મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ 15થી વધુ વખત છરીના ઘા મારી મિત્રની હત્યા નિપજાવનાર હત્યારા મિત્રની પોલીસે ધરપકડ કરી છે

X

સુરત શહેરના કતારગામ વિસ્તારની ગોતાલવાડીમાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. 2 મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ 15થી વધુ વખત છરીના ઘા મારી મિત્રની હત્યા નિપજાવનાર હત્યારા મિત્રની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, સુરતના વરાછાની ફુલપાડા કોલોનીમાં રહેતા અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોયડરીના કારખાનામાં કામ કરતો હતો. ગત તા. 8મીએ પટેલ વાડી SMC ઝોન કચેરીના ગેટ નજીક બ્રિજેશનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વિકી મનોજ ગોહિલે કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આ ઘટનાના 3 કલાક પહેલા વિનોદે કતારગામમાં હરેશ બરૈયા નામના યુવકને પણ ચાકુ માર્યું હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. મહિધરપુરા પોલીસે 60થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે ખબર પડી કે, વિનોદ જ ગુનેગાર છે, ત્યારે હાલ તો મહિધરપુરા પોલીસે હત્યારાને કોર્ટ વોરંટથી કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Next Story