સુરત : પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી 120 MMના પ્લાસ્ટિક પર પ્રતિબંધ, વેપારીઓની ચિંતા વધી...
તા. 1 જુલાઈ 2022થી પ્લાસ્ટિકના વપરાશ પર આવશે અંકુશ, પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નિર્ણય લેવાયો
માત્ર સુરત શહેર નહીં, પરંતુ પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી તમામ જગ્યાઓ પર પ્લાસ્ટિક પર 120 MM સુધીના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવતા વેપારીઓની ચિંતા વધી છે, ત્યારે વેપારીઓ આ નિર્ણયને આવકારી તો રહ્યા છે, પરંતુ અન્ય વિકલ્પની પણ માંગ કરી રહ્યા છે.
તા. 1 જુલાઈ 2022થી પ્લાસ્ટિકના વપરાશ પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત 120 MM સુધીના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય આવકારદાયક છે. જોકે, સરકાર દ્વારા ઓચિંતો નિર્ણય લેવામાં આવતા અનેક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરત શહેરની વાત કરીએ તો, સુરતમાં લારી ગલ્લા, રેસ્ટોરન્ટ, શાકભાજી માર્કેટ સહિત મોટા ભાગની જગ્યાઓ પર પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી તરફ પ્લાસ્ટિકની માંગને પહોંચી વળવા માટે સુરત શહેરમાં વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો રાખવામાં આવ્યો છે, ત્યારે હવે આ પ્લાસ્ટિક પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવતા વેપારીઓની મુશ્કેલી વધી છે, તેમના દ્વારા ખરીદ કરવામાં આવેલો જથ્થો નુકશાનીનો પર્યાય બની ગયો છે. કારણ કે, પ્રતિબંધ આવતા જ હવે આ જથ્થો કોણ ખરીદશે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. વેપારીઓ પર્યાવરણના હિતમાં સરકારના નિર્ણયને તો આવકારી રહ્યા છે, પરંતુ આ સાથે જ પ્લાસ્ટિક અને તેમના વેપારનો વિકલ્પ પણ શોધવાની માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT