UPમાં ગાય ભાજપ માટે ‘મમ્મી’ જ્યારે નોર્થ ઈસ્ટમાં ‘યમ્મી : અસદુદ્દીન ઓવૈસી

New Update
UPમાં ગાય ભાજપ માટે ‘મમ્મી’ જ્યારે નોર્થ ઈસ્ટમાં ‘યમ્મી : અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઈંડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગૌ-માતા બચાવને લઈને ચલાવવામાં આવી રહેલા અભિયાન પર ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. યૂપીમાં અવૈધ કતલખાના અને ગૌ-તસ્કરી ઉપર રોક લગાવવાના આદેશ પર ઓવૈસીએ કહ્યું, ભાજપ માટે ઉત્તર પ્રદેશમાં ગાય ‘મમ્મી’ છે પરંતુ નોર્થ ઈસ્ટમાં તે ‘યમ્મી’ છે. યૂપીના મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે પ્રદેશમાં ગૌ-તસ્કરી પર રોક લગાવવા માટેના આદેશ આપ્યા હતા. યૂપીમાં અવૈધ કતલખાના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisment

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં આગામી ચૂંટણીને લઈને બીફ બેન ન કરવાની જાહેરાત કરી છે જેના પર ઓવૈસીએ નિશાન સાધ્યું છે. ભાજપાએ જાહેરાત કરી છે કે નોર્થ ઈસ્ટ રાજ્યોમાં તે સત્તા પર આવશે તો બીફ બેન નહી કરે. નોર્થ ઈસ્ટના 3 રાજ્યોમાં આગામી વર્ષે ચૂંટણી યોજાનારી છે. નોર્થ ઈસ્ટના રાજ્યોમાં મેધાલય અને મિજોરમમાં કૉંગ્રેસની સરકાર છે, જ્યારે નાગાલેંડમાં ભાજપાએ ગઠબંધન સાથે સરકાર બનાવી છે.

Read the Next Article

મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત

મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

author-image
By Connect Gujarat Desk
New Update
rain

મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Advertisment

હવામાન વિભાગે આફત જેવા વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન ભારે વરસાદને કારણે વિક્રોલીમાં ભૂસ્ખલન થયું. જેના કારણે 2 લોકોના મોત થયા. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર આ ભૂસ્ખલન મુંબઈના વિક્રોલી (પશ્ચિમ) માં જન કલ્યાણ સોસાયટી, વર્ષા નગર વિક્રોલી પાર્ક સાઇટમાં થયું હતું. બીએમસીએ જણાવ્યું હતું આ ભૂસ્ખલનને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે. ભૂસ્ખલન બાદ, નજીકના લોકો ગભરાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચિશોતી ગામમાં પણ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઘણા લોકો ફસાયા હતા. હાલમાં, અસરગ્રસ્ત લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર, પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને અન્ય સુરક્ષા એજન્સીઓના સહયોગથી કામ ચાલી રહ્યું છે.

India | Heavy Rain Fall | Mumbai Rain | monsoon season

Latest Stories