વડોદરા : ચોર ઉલટા કોટવાલ કો ડાટે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કેસ કરનારાઓ પર કેસ કરવાની આપી ધમકી

New Update
વડોદરા : ચોર ઉલટા કોટવાલ કો ડાટે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કેસ કરનારાઓ પર કેસ કરવાની આપી ધમકી

કોરોનાની બિમારીમાંથી સાજા થયા બાદ પંચમુખી હનુમાનના દર્શને પહોંચેલા વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે માસ્ક નહિ પહેરતાં વિવાદ થયો હતો. આ વિવાદ સંદર્ભમાં તેમણે કહયું છે કે, મારા પર કેસ કરે તેવો કોઇ હજી પેદા થયો નથી.

કોરોના મુક્ત થયા બાદ 19 સપ્ટેમ્બરે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગાજરાવાડી હનુમાન મંદિરમાં માસ્ક પહેર્યા સમર્થકો સાથે વિના ડાન્સ કરીને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. આ મામલે મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં એવુ ક્યાં લખ્યુ છે કે, પોતાના મંદિરની અંદર મોઢુ બાંધીને પૂજા કરવી? કોઇ કાયદામાં જોગવાઇ નથી. મારા ઉપર કેસ કરનાર પેદા થયો નથી. અમે કોઇને ઠોક્યો છે તો ઠોક્યો જ છે, અમે અધિકારીને માર્યો તો માર્યો જ છે, તેમાં તો કોઇ શંકા નથી.

વધુમાં તેમણે  જણાવ્યું હતું કે, હું તો મંદિરમાં 50 વર્ષથી હનુમાનચાલીચા અને ભજન કરતો આવ્યો છું, સનાતન ધર્મમાં એવુ ક્યાં લખ્યુ છે કે, પોતાના મંદિરની અંદર મોઢુ બાંધીને પૂજા કરવી? કોઇ કાયદાની જોગવાઇ નથી. લોકડાઉન આવ્યું ત્યારથી આ મોઢે બાંધવાનું આવ્યું છે. અમુક લોકો કહે છે કે, તમારી પર કેસ કરીશું, હું કહું છું કે, હું તમારા પર કેસ કરીશ. મારા ઉપર કેસ કરનાર પેદા થયો નથી. ધર્મના કામની અંદર હું 50 વર્ષથી સેવા કરૂ છું, ત્યારે હું આવા આક્ષેપ કરતા લોકોને હું કહું છું કે, ધર્મના કામને સપોર્ટ આપવો જોઇએ. ભલે ગુનેગાર તો ગુનો કરે જ છે, તેનો સવાલ આવતો નથી. અમે કોઇને ઠોક્યો છે તો ઠોક્યો જ છે અમે અધિકારીને માર્યો તો માર્યો જ છે, તેમાં તો કોઇ શંકા નથી.

Latest Stories
    Read the Next Article

    ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો

    ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી

    New Update
    cricket

    ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે.

    આ ઐતિહાસિક જીતમાં કેપ્ટન શુભમન ગિલ ના બેટનો જાદુ, મોહમ્મદ સિરાજ ની ઘાતક બોલિંગ અને આકાશદીપ ના કુલ 10 વિકેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    58વર્ષનો ઇંતજાર સમાપ્ત: એજબેસ્ટન પર પ્રથમ જીત!

    બર્મિંગહામનું એજબેસ્ટન મેદાન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી દુઃસ્વપ્ન સમાન રહ્યું હતું. ભારતે અહીં 1967 માં પહેલી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ અત્યાર સુધી આ મેદાન પર એકપણ ટેસ્ટ જીતી શક્યું ન હતું. કપિલ દેવ, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ સુકાનીઓ પણ તેમની કેપ્ટનશીપમાં ભારતને અહીં જીત અપાવી શક્યા ન હતા. આખરે, શુભમન ગિલ ની કેપ્ટનશીપ હેઠળ ભારતે 58 વર્ષ લાંબા પરાજયના સિલસિલાનો અંત લાવ્યો અને ઇતિહાસ રચ્યો.

    મેચનો સંપૂર્ણ સારાંશ

    ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, જે નિર્ણય પાછળથી તેમની ટીકાનું કારણ બન્યો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શુભમન ગિલ ના શાનદાર 269 રનના બળ પર 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 87 અને રવિન્દ્ર જાડેજાએ 89 રનનું યોગદાન આપ્યું. જવાબમાં, ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 158 રન અને જેમી સ્મિથે 184 રન બનાવ્યા, પરંતુ તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતને પ્રથમ ઇનિંગમાં 180 રનની મોટી લીડ મળી.

    Latest Stories