Connect Gujarat
વડોદરા 

વડોદરા : વિશ્વામિત્રી અને તળાવોને પ્રદૂષિત કરવા કોર્પોરેશનની ભૂમિકા, 22.75 કરોડ લિટર ડ્રેનેજના પાણીનો નદી - નાળામાં નિકાલ

22 લાખની વસતી વચ્ચે માત્ર 8 સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ GPCB દ્વારા પણ વડોદરા કોર્પોરેશનને નોટિસ પાઠવાઈ ૨૨.૭૫ ટકા ડ્રેનેજનુ પાણી નદી-નાળામાં છોડી દેવાઈ છે

X

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામત્રી નદી,વિવિધ તળાવો અને વરસાદી કાંસોમાં આજે પણ ડ્રેનેજના પાણી ભરાયેલા હોવાની લોક બૂમો ઉઠી છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામત્રી નદી,વિવિધ તળાવો અને વરસાદી કાંસમાં આજે પણ ડ્રેનેજના પાણી ભરાયેલા હોવાની લોક બૂમો ઉઠી છે ત્યારે વડોદરા મ્યુનિ . કોર્પોરેશન રોજનુ ૨૨.૭૫ કરોડ લિટર ડ્રેનેજનુ પાણી ડાયરેક્ટ ઠાલવી દેતી હોવાની વિગતો સામે આવી છે.

શહેરી વિસ્તાર સતત વિસ્તરતો જાય છે અને વસતી વધીને ૨૨ લાખથી પણ વધુ થઈ ગઈ છે ત્યારે કોર્પોરેશનના માત્ર ૮ એસટીપી છે અને તે કુલ પાણીના માંડ ૫૯ ટકા ડ્રેનેજનુ પાણી જ ટ્રીટ કરવાની કેપેસીટી ધરાવે છે અને બાકીનું પાણી સીધેસીધું નદી - નાળામાં છોડી દેવાતુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઠેરઠેર ગટરના પાણી તેમાં ઠલવાય છે.એટલુ જ નહીં , શહેરના ગોત્રી , કમલાનગર સરસિયા, દંતેશ્વર, ગોરવા, દશામા સહિતના તળાવોમાં પણ ડ્રેનેજના ગંદા પાણી છોડાય છે તેના કારણે તળાવો પણ પ્રદૂષિત થઈ ગયા છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વિશ્વામિત્રીને લઈને કોર્પોરેશનને નોટિસ આપેલી છે પરંતુ કોર્પોરેશનના તંત્રના પેટનુ પાણી હલતું નથી .

કોર્પોરેશન દ્વારા રોજ ૨૨.૭૫ કરોડ લિટર ડ્રેનેજનુ પાણી ટ્રીટ કર્યા વિના જ સીધેસીધુ નદી - નાળાઓમાં છોડી દેવાતુ હોવાની વિગતો સાપડી છે . શહેરમાં ૫ ગામો અને એ પછી ૭ ગામો એમ ૧૨ ગામોનો સમાવેશ થયા બાદ શહેરની હદ વધવાની સાથે વસતી પણ વધી છે . શહેરમાં અંદાજે ૨૨ લાખથી પણ વધુ વસતી છે ત્યારે કોર્પોરેશનના માત્ર ૮ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને તેની કેપેસીટી ફકત ૩૧.૮૫ કરોડ લિટર છે. એટલે કે બધા જ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેને કેપેસીટીથી ચાલે તો પણ આટલું જ પાણી રોજ ટ્રીટ કરી શકે છે જ્યારે બીજી તરફ શહેરીજનોને કોર્પોરેશન ૫૪.૬૦ કરોડ લિટર પીવાનું પાણી વિતરણ કરે છે. ૨૨.૭૫ ટકા ડ્રેનેજનુ પાણી સીધેસીધુ નદી - નાળામાં છોડી દેવાય છે .

Next Story