ભરૂચ : નર્મદા નદી કિનારા પર પોલીસ ખડકી દેવાય : લોકોને કિનારા પર જવા પર પ્રતિબંધ

New Update
ભરૂચ : નર્મદા નદી કિનારા પર પોલીસ ખડકી દેવાય : લોકોને કિનારા પર જવા પર પ્રતિબંધ

નર્મદા નદીના વધી રહેલા જળસ્તરના પગલે ભરૂચ અને અંકલેશ્વરમાં કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. મોટી સંખ્યામાં લોકો નદીમાં આવેલા પુરને જોવા માટે ઉમટી રહયાં છે. ડેમમાંથી છોડવામાં આવતાં વિપુલ પ્રમાણમાં પાણીને અનુલક્ષી ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ચુકી છે. નદી હાલ 31 ફૂટના લેવલને પાર કરી ચુકી છે.

Advertisment

વર્ષો બાદ નર્મદા નદીમાં પુર આવતાં લોકો નદી જોવા ઉમટી રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ગોલ્ડનબ્રિજના છેડા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ રહયાં છે. નદીના ધસમસતા પ્રવાહમાં કોઇ તણાઇ ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ ઉપરાંત નદી કિનારે લોકોના જવા પર પ્રતિબંધ મુકાયો છે. બીજી તરફ નદીની વધી રહેલી જળસપાટીના કારણે શુકલતીર્થ સહિતના ગામોમાં પાણી પ્રવેશી ચુકયાં છે. ભરૂચ અને શુકલતીર્થ વચ્ચે લોકો જીવના જોખમે વાહનો લઇને પસાર થઇ રહયાં છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories