રીધમ્ હાર્ટ ઇસ્ટીટ્યૂટ દ્વારા તા.29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણીનું આયોજન કરાશે

New Update
રીધમ્ હાર્ટ ઇસ્ટીટ્યૂટ દ્વારા તા.29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણીનું આયોજન કરાશે

શહેરના સમા-સાવલી રોડ ઉપર આવેલી રીધમ્ હાર્ટ ઇસ્ટીટ્યૂટ દ્વારા તા.29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી હોસ્પિટલ દ્વાર 100 હાર્ટ હિરોને કાર્ડીયો પલ્મોટરી રીસટીટેશન (સી.પી.આર.)ની તાલિમ આપવાનું શરૂ કરશે. હોસ્પિટલ દ્વારા શહેર-જિલ્લામાં 40,000 હાર્ટ હિરો તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.

હોસ્પિટલના સી.ઓ.ઓ. પુષ્પેન્દ્રસિંહ સિકરવારે જણાવ્યું હતું કે, હાર્ટ એટેકની બિમારીનો રેસીયો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે હોસ્પિટલ દ્વારા હાર્ટ એટેકના મૃત્યુનો આંક ઘટાડી શકાય અને લોકો જાગૃત થાય તે માટે હોસ્પિટલ દ્વારા સ્કૂલ, કોલેજ, સામાજિક સંસ્થાઓ જેવા ક્ષેત્રોમાંથી 100 યુવાનો-યુવતીઓને તૈયાર કરે છે. જેનું નામ હાર્ટ હિરો આપવામાં આવ્યું છે. આ હાર્ટ હિરોને તા.29 સપ્ટેમ્બર રવિવારે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે હાર્ટનો હુમલો આવતા દર્દીને પ્રાથમિક સારવાર આપીને કેવી રીતે બચાવી શકાય તેની તાલિમ આપવામાં આવશે. આ 100 હાર્ટ હિરો બીજા યુવાનો અને યુવતીઓને તાલિમ આપશે. આમ હોસ્પિટલ દ્વારા 40 હજાર હાર્ટ હિરો તૈયાર કરવાનું લક્ષ્યાંક છે.

કાર્ડીયોલોજીસ્ટ ડો. ચિરાગ શેઠે જણાવ્યું હતું કે, હ્રદય રોગની બિમારી ચિંતાજનક રીતે વધી રહી છે. ભારતમાં 40 ટકાથી વધુ દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો હ્રદય રોગનો ભોગ બની રહ્યા છે. અમેરીકા અને યુરોપના દેશો કરતા ભારતીયોમાં 10 ટકા વધુ હ્રદય રોગનો ભોગ બને છે. ત્યારે જો લોકોને સમયસર જાગૃત કરવામાં આવે તો ચોક્કસપણે હ્રદય રોગના હુમલાથી બચાવી શકાય છે.

હોસ્પિટલના ડિરેક્ટર ડો. નિરવ ભાલાણીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા હ્રદય રોગની બિમારી લઇને આવતા દર્દીઓને બચાવવાનું કામ કરે છે. પરંતુ, લોકોમાં હ્રદય રોગની બિમારી પૂર્વે સાવચેતી રાખવાની જાગૃતિ સમાજ દ્વારાજ આવી શકે છે. તે માટે હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હાર્ટ ડેના દિવસે 100 હાર્ટ હિરોને તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્લ્ડ હાર્ટ ડેના દિવસે સ્ટેજ આર્ટીસ્ટો દ્વારા હ્રદય રોગપર આધારીત નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ તેમજ આઇ.ટી.એમ. યુનિવર્સના ડીન એ.વી. ગુપ્તા ઉપસ્થિત રહેશે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.