હાશ...હવે હેલ્મેટથી છુટકારો, શહેરી વિસ્તારમાં નહીં રહ્યું હેલ્મેટ ફરજિયાત

New Update
હાશ...હવે હેલ્મેટથી છુટકારો, શહેરી વિસ્તારમાં નહીં રહ્યું હેલ્મેટ ફરજિયાત

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. નવા નિયમો લાગુ થયા બાદ રાજ્ય તથા સમગ્ર દેશમાં વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને દ્વિ-ચક્રી વાહન ધારકોને હેલમેટ નહી પહેરવાના કારણે તોતિંગ દંડ ફટકારવામાં આવતો હતો. જેને કારણે કેટલાક કિસ્સામાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ચકમકના ઘણા કિસ્સાઓ પણ બન્યા હતા. 

ત્યારે આજ રોજ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ અંગે અગત્યનો નિર્ણય લીધો છે. રાજ્યના મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, હવે શહેરી વિસ્તારમાં હેલમેટ પહેરવું ફરજિયાત નથી. એટ્લે કે હવે થી બે પૈડાં વાળા વાહન ચાલકો નગરપાલિકા અને મહાનગરપાલિકા અધિકૃત શહેરી વિસ્તારમાં વિના હેલ્મેટ વાહન ચલાવી શકશે. સરકારના આ નિર્ણયથી કેટલાક અંશે લોકોએ હાશકારો લીધો હશે.

Read the Next Article

સુરત : સલામત સવારીનું વચન આપતી એસટી બસના ચાલકે સર્જ્યો અકસ્માત,ચારથી વધુ બાઇકને લીધી અડફેટમાં,ચાર લોકો ઈજાગ્રસ્ત

સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..

New Update

સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસે સર્જ્યો અકસ્માત

અકસ્માતમાં ચાર જેટલા લોકોને પહોંચી ઇજા

ચારથી વધુ બાઈકનો વળ્યો કચ્ચરઘાણ

બસ ચાલક ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો

બસ ચાલકે બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું કર્યું રટણ

સુરતમાં સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસના ચાલકે બસને ગફલત ભરી રીતે હંકારીને અકસ્માત સર્જ્યો હતો.અને ચારથી વધુ બાઇકને અડફેટમાં લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામની સાથે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ નીચેના માર્ગ પરથી એક એસટી બસ પસાર થઇ રહી હતી,જોકે બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અકસ્માત સર્જીને બસ ચાલક ભાગવા જતા સ્થાનિક લોકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો,બસ ચાલકે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું રટણ કર્યું હતું,જ્યારે ભોગ બનનાર ઇજાગ્રસ્તોએ બસની સ્પીડ વધુ હોવાનો આક્ષેપ કર્યો હતો.પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.