Connect Gujarat
અમદાવાદ 

રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ, કેજરીવાલની તિરંગા યાત્રા બાદ રાહુલ ગાંધી કાઢશે ગાંધી સંદેશ યાત્રા

રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ, કેજરીવાલની તિરંગા યાત્રા બાદ રાહુલ ગાંધી કાઢશે ગાંધી સંદેશ યાત્રા
X

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવનાર 6 એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે છે. ઐતિહાસિક દાંડી માર્ચ ના અંતિમ દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમ ખાતેથી જ ગાંધી સંદેશ યાત્રા ને લીલી ઝંડી આપશે.

આ યાત્રા નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે પૂર્ણ થશે. કોંગ્રેસ સેવાદળના કાર્યકરો ની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુજરાતના દરેક જિલ્લા ઉપરાંત રાજસ્થાન, હરિયાણા માંથી પસાર થશે અને મહાત્મા ગાંધીજીના શાંતિ સંદેશા ને લોકો સુધી પહોંચાડશે 2022નું વર્ષ એટલે કે વર્ષ 2024 ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ યર, યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટી નું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે ત્યારે ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોના? અનેક અટકળો બાદ હવે નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પાક્કી છે તેવું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. ત્યારે 6 એપ્રિલના પ્રવાસમાં રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ શીર્ષ નેતૃત્વ સાથે ચૂંટણી લક્ષી અને ખાસ કરીને નરેશ પટેલના કોંગ્રેસ આગમનની ચર્ચાને લઈને વાત થઈ શકે છે.

Next Story