ભરૂચ : AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ અહમદ પટેલને ગણાવ્યાં "નેક" ઇન્સાન

Update: 2021-02-07 11:42 GMT

ભરૂચની મનુબર ચોકડી ખાતે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારના રોજ જાહેરસભાને સંબોધી હતી. બીટીપી સાથે ગઠબંધન બાદ ઓવૈસી પ્રથમ વખત ગુજરાતમાં આવ્યાં હતાં. જાહેરસભાને સંબોધિત કરતી વેળા અસદુદ્દીન ઓવૈસીએ રાજયસભાના પુર્વ સાંસદ અને મરહુમ અહમદ પટેલને યાદ કરી તેમની મગફિરત માટે દુઆઓ કરી હતી.

ભરૂચના પનોતા પુત્ર અને મરહુમ અહમદ પટેલની સેવાકાર્યની સુવાસ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. તેમના સૌમ્ય અને સરળ વ્યકતિત્વના કારણે તેઓ દરેક લોકોમાં પ્રિય હતાં અને તેનો પુરાવો ભરૂચમાં રવિવારના રોજ યોજાયેલી એઆઇએમઆઇએમ અને બીટીપીના ગઠબંધનની પ્રથમ જાહેરસભામાં મળ્યો હતો. એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તેમના સંબોધન દરમિયાન અહમદ પટેલને યાદ કરી તેમને નેક ઇન્સાન ગણાવ્યાં હતાં. અહમદ પટેલે કરેલા સારા કાર્યોનું ફળ તેમના પરિવારજનોને મળશે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે અહમદ પટેલની મગફિરત માટે દુઆઓ ગુજારી હતી અને જણાવ્યું હતું કે, અહમદ પટેલ સાથે તેમના સારા સંબંધો હતો. આવો સાંભળીએ મરહુમ અહમદ પટેલ વિશે અસદુદ્દીન ઓવૈસીએ શું કહયું.....

Tags:    

Similar News