ભરૂચ: દહેજ રોડ બિસ્માર બનતા સ્થાનિકો અને વાહનચાલકોએ કર્યો ચક્કાજામ, માર્ગના સમારકામની માંગ

આજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો.

Update: 2022-09-30 11:09 GMT

ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર આજે તા 30 સપ્ટેમ્બરની વહેલી સવારે કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે વાહન ચાલકો અને સ્થાનીક રહેવાસીઓએ બિસ્માર રસ્તાના પગલે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો. મોટી સંખ્યામાં વાહનચાલકો તેમજ સ્થાનીક રહીશોએ સમગ્ર માર્ગ પર ચક્કાજામ કરી દીધો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. દહેજ જીઆઇડીસીની વિવિઘ કપનીઓમાં પ્રથમ શિફ્ટનો સમય થતા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી પરત આવતા તેમજ પ્રથમ શિફટમાં ફરજ પર જતા કર્મચારીઓને લઈ જતી મોટી સંખ્યામા લક્ઝરી બસના ચાલકો તેમજ વિવિઘ કંપનીઓના કર્મચારીઓ પણ ચક્કાજામ કાર્યક્ર્મમાં જોડાયા હતા. સાથે જ કેશરોલ તેમજ આજુબાજુના ગામોના રહીશો પણ આ ચક્કાજામમાં જોડાતા જોતજોતામાં વાહનોની કતારો પડી હતી.ભરૂચ ગ્રામ્ય પોલિસ પણ આંદોલનના સ્થળ પર પહોંચી ગઇ હતી. થોડા કલાકો અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે ટ્રાફિક યથાવત થયો હતો.વાહનચાલકો અને સ્થાનિકો દ્વારા માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News