ભરૂચ: પ્રદુષિત પાણીનું વાહન કરતી નર્મદા ક્લીન ટેક કંપનીને ક્લોઝર નોટિસ, અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગો પર સંકટ!

અંકલેશ્વર પનોલીના ઉધોગોના દૂષિત પાણીનું વહન કરતી અંકલેશ્વરની નર્મદા ક્લિન ટેક લિમિટેડને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ gpcb દ્વારા ક્લોઝર નોટીસ ફટકારાતા ઉધોગ આલમમાં ચકચાર મચી જવા પામી છે.

New Update

અંકલેશ્વર પનોલીના ઉધોગોના દૂષિત પાણીનું વહન કરતી અંકલેશ્વરની નર્મદા ક્લિન ટેક લિમિટેડને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ gpcb દ્વારા ક્લોઝર નોટીસ ફટકારાતા ઉધોગ આલમમાં ચકચાર મચી જવા પામી છે.

એશિયાની સૌથી મોટી જી આઈ ડી સી અંકલેશ્વરમાં આવેલી છે જ્યાં હજારો નાના મોટા ઉધોગો કાર્યરત છે. ત્યારે આ ઉધોગોમાં થી સમયાંતરે એક યા તો બીજા સ્વરૂપમાં દૂષિત અથવા કેમિકલ યુક્ત પાણી નીકળતું હોઈ છે જેને NCT એટલે કે નર્મદા ક્લીન ટેક મારફતે દરિયામાં છોડી દેવામાં આવે છે. ત્યારે ઉદ્યોગોનું ગંદુ પાણી એનસીટીની સંગ્રહીત ટેન્કમાંથી ઓવરફ્લો થઇ આમલાખાડીમાં નિકાલ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જે બાબતે અનેક પર્યાવરણ પ્રેમીઓ અને આસપાસના જાગૃત ગ્રામજનો દ્વારા સમયાંતરે પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી હતી અને અંતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ GPCB ને સ્થળ તપાસની ફરજ પડી હતી.

અંકલેશ્વર જીપીસીબીએ સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા અને ત્વરિત ગાંધીનગર વડી કચેરીને જાણ કરાએ હતી જે બાદ નર્મદા ક્લીન ટેક કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે. જો કે આ ક્લોઝર નોટીસ 30 દિવસ પછી અસરકારક રહેશે અને જો નર્મદા ક્લીન ટેક (એનસીટી)નું દિન 30માં રીવૉકેશન ન થાય તો આવનાર દિવસોમાં અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને શટડાઉન અથવા પ્રોડકશન લોસની સંભાવનાને પણ નકારી શકાય નહીં ત્યારે હાલ તો જીપીસીબીની એનસીટીને ફટકરાયેલ નોટીસથી ઉધોગ આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

તો બીજી તરફ માત્ર કેટલાક ચોક્કસ પ્રદુષણ ઓકતા ઉદ્યોગોના પાપે સમગ્ર એસ્ટેટે ભોગવવું પડી રહ્યું હોવાનો ગણગણાટ પણ કેટલાક ઉધોગપતિઓ કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.