Connect Gujarat
ધર્મ દર્શન 

આજે છે ષટ્તિલા એકાદશી, જાણો તેની કથા અને વ્રતનું મહાત્મ્ય

તમામ એકાદશીઓના વ્રતમાં ષટ્તિલા એકાદશીનું વ્રત મહત્વનું માનવામાં આવે છે.

આજે છે ષટ્તિલા એકાદશી, જાણો તેની કથા અને વ્રતનું મહાત્મ્ય
X

તમામ એકાદશીઓના વ્રતમાં ષટ્તિલા એકાદશીનું વ્રત મહત્વનું માનવામાં આવે છે. આ એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા તલ વડે કરવાનો નિયમ છે. આ દિવસે તલના 6 ઉપાયથી પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ વ્રતને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. આ વર્ષે ષટ્તિલા એકાદશીનું વ્રત 28 ફેબ્રુઆરી, શુક્રવારના એટલે કે આજ રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ષટ્તિલા એકાદશીના દિવસે પૂજામાં વ્રત કથાનું પાઠ કરવું જોઈએ. પૂજાના અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો અને પારણા સમયે તલનું દાન કરો. આમ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ ષટ્તિલા એકાદશીની વ્રત કથા.

ષટ્તિલા એકાદશીની વ્રત કથા :

ષટ્તિલા એકાદશીની વ્રત કથા અનુસાર પ્રાચીનકાળમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. તે હંમેશા ઉપવાસ અને પૂજા કરતી. જો કે તે ખૂબ જ ધર્મનિષ્ઠ હતી પરંતુ ક્યારેય પૂજામાં દાન ન કરતી. તેમ જ તેણે ક્યારેય દેવતાઓ કે બ્રાહ્મણોને અન્ન કે પૈસાનું દાન કર્યું ન હતું. ભગવાન વિષ્ણુ તેના કડક ઉપવાસ અને પૂજાથી પ્રસન્ન થયા, પરંતુ તેમણે વિચાર્યું કે બ્રાહ્મણ સ્ત્રીએ ઉપવાસ અને પૂજા કરીને શરીરને શુદ્ધ કર્યું છે. તેથી જ તેને ચોક્કસપણે વૈકુંઠલોક મળશે. પણ તેણે ક્યારેય અન્નનું દાન કર્યું નથી, તો તેના વૈકુંઠલોકમાં લોકનાં અન્નનું શું થશે?

આવું વિચારીને ભગવાન વિષ્ણુ ભિખારીના વેશમાં બ્રાહ્મણ પાસે ગયા અને તેમની પાસે ભિક્ષા માંગી. બ્રાહ્મણ સ્ત્રીએ તેને ભિક્ષામાં માટીનો ગઠ્ઠો આપ્યો. ભગવાન તેને પાછા વૈકુંઠ લોકમાં લઈ ગયા. થોડા સમય પછી બ્રાહ્મણ સ્ત્રી પણ મૃત્યુ પછી દેહ છોડીને વૈકુંઠલોકમાં આવ્યા. માટી દાન કરવાને કારણે વૈકુંઠ લોકમાં એક મહેલ મળ્યો, પરંતુ તેના ઘરમાં કંઈ નહોતું. આ બધું જોઈને તેણે ભગવાન વિષ્ણુને કહ્યું કે મેં જીવનભર ઉપવાસ કર્યા છે અને તમારી પૂજા કરી છે પરંતુ મારા ઘરમાં કંઈ નથી.

વ્રત કથાનું મહાત્મ્ય -

તેમની સમસ્યા સાંભળીને ભગવાને કહ્યું કે તમે વૈકુંઠ લોકની દેવીઓને મળો અને ષટ્તિલા એકાદશીનાં વ્રત અને દાનનું મહાત્મ્ય સાંભળો. તેનું પાલન કરો, તમારી બધી ભૂલોને માફ કરવામાં આવશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. બ્રાહ્મણીમાં દેવીઓ પાસેથી ષટ્તિલા એકાદશીનું મહત્વ સાંભળ્યું અને આ વખતે ઉપવાસની સાથે તલનું દાન કર્યું. એવું માનવામાં આવે છે કે ષટ્તિલા એકાદશીના દિવસે વ્યક્તિ જેટલા તલનું દાન કરે છે, તેટલા લોકો વૈકુંઠલોકમાં હજાર વર્ષ સુધી સુખેથી રહે છે.

Next Story