રાજ્યના 78 પીએસઆઇ બન્યા પીઆઇ; DGPએ PSIની બઢતી માટે કર્યો નિર્ણય

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2નું પ્રમોશન આપવામાં આવ્યું છે

New Update

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ અધિકારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામા આવી છે. આ બઢતીમાં હર્ષદકુમાર આત્મારામ પટેલ નામના એક પીએસઆઇ સામે સ્પે જજ અમદાવાદની કોર્ટમાં એસીબીના કેસમાં છોડી મુકવાનો હુકમ કરાયેલો છે, પરંતુ આ અંગે તેમની સામે સરકારપક્ષે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેથી હાઇકોર્ટના ચુકાદાને બંધનકર્તા રહેવાની શરતે તેમની પીઆઇ તરીકે બઢતી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. ત્યારે 21 ડિસેમ્બરે ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં પીઆઇની ઘટ હતી ત્યારે રાજ્ય સરકારના આ હુકમથી રાજ્યની સલામતી અને શાંતિ બનાવવામાં મદદ મળશે જે લોકોને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળે તેવા મૌખિક આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, 

New Update
a

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છેઆ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન બોઇંગનું 787-8 ડ્રીમ લાઈનર હતુંઆ પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે. એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે બોઇંગ 787-8ની ડીઝાઈનમાં મોટી ખામીઓ હતી. એવામાં અહેવાલો છે કે ભારત સરકાર દેશના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેફ્ટી ચેક કરવામાં માટે તમામ બોઇંગ 787-8ને ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારત અને યુએસ એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,દુર્ઘટનાની તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે.