બોટાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિરાટ ભોજનાલયનું કર્યું લોકાર્પણ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ભોજનાલયમાં એક સાથે 8 હજાર ભકતો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં પહોંચ્યા હતા એમની સાથે તેમના પુત્ર જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહ અને જય શાહે દાદાની મૂર્તિની પૂજા વિધિ કરી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિરાટ અને ભવ્ય ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય ભોજનાલય 7 વિધામાં પથરાયેલું છે. જેમાં એકસાથે 8 હજાર ભક્તો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરાયો હતો. હનુમાન જંયતી નિમિતે શ્રી કષ્ભંજન દેવ સાંળગપુર ખાતે મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતુ . મોડીરાત્રેથી જ ભક્તોએ દાદાના દર્શન મેળવવા લાંબી લાઈનો લગાવી હતી,તો બીજી તરફ અહિં દાદાની કિંગ ઓફ સાંળગપુરની મૂર્તીનું ગઈકાલે અનાવરણ થઈ ગયા બાદ આજે વહેલી સવારથી જ અહીં આવતા શ્રદ્ધાળુંઓ તેની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા છે. તો આજે દાદાનો 6.50 કરોડના સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરાયો છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, 

New Update
a

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છેઆ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન બોઇંગનું 787-8 ડ્રીમ લાઈનર હતુંઆ પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે. એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે બોઇંગ 787-8ની ડીઝાઈનમાં મોટી ખામીઓ હતી. એવામાં અહેવાલો છે કે ભારત સરકાર દેશના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેફ્ટી ચેક કરવામાં માટે તમામ બોઇંગ 787-8ને ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારત અને યુએસ એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,દુર્ઘટનાની તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે.

Latest Stories