ચોટીલાના દેવસર ગામે દીપડાના આંટાફેરા વધી જતાં ગ્રામજનોએ વનવિભાગને દોડતું કર્યું

દિપડો ગામમા તેમજ સીમમાં આંટા ફેરા કરતો હોવાથી ગામના લોકોમાં ભયની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ ખેડૂતો ખેતરમાં જતા ડરતા હોવાનું જાણવા મળ્યું છે.

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના દેવસર ગામે સમી સાંજે તેમજ દિવસે દિપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. એમાય ચોટીલાના ઠાંગા વિસ્તારની સીમમાં અવારનવાર દિપડો દેખાતો હોવાથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોટીલા તાલુકાના દેવસર ગામમા કોઈ ખેતરનાં ગેટની દિવાલ ઉપર દિપડો બેઠો હોવાની ગામના લોકોને જાણ થતા જ દિપડાને જોવા માટે લોકો દોડી ગયા હતા. ત્યારે દિવાલ ઉપર ચડીને દિપડો બિન્દાસ બેઠો જોવા મળ્યો હતો. ત્યારે દિપડો દિવાલ પર બેઠો હતો અને એક જગ્યાએ આંટા ફેરા ફરી રહ્યો હોય તેવો કોઈ ગામના લોકોએ પોતાના મોબાઈલમા લાઇવ વિડીઓ ઉતારીને વાયરલ કર્યો હતો.

ત્યારે દિપડો ગામમા તેમજ સીમમાં આંટા ફેરા કરતો હોવાથી ગામના લોકોમાં ભયની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ ખેડૂતો ખેતરમાં જતા ડરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દેવસર ગામના લોકોએ ફોરેસ્ટ વિભાગને પાંજરૂ ગોઠવી દિપડાને પકડી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારના ખરેડી, કાળાસર, ઝીંઝુડા, પીપળીયા અને શિરોડા જેવા અનેક ગામોની સીમમાં દિપડાની દહેશત અવારનવાર જોવા અને સાંભળવા મળે છે.

તાજેતરમાં એક દિપડાનું બચ્ચુ માતાથી વિખુટું પડ્યા બાદ કેટલાક યુવાનોએ આ બચ્ચા સાથેનો વિડીયો વાયરલ કર્યા બાદ દિપડાના બચ્ચાને નિર્જન જગ્યામાં છોડી દીધા બાદ બચ્ચુ મરી જતા ફોરેસ્ટ વિભાગે આ નવયુવાનોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ચોટીલા પંથકમાં અગાઉ સિંહ પણ જોવા મળતા વનવિભાગ દોડતું થયું હતુ.

Read the Next Article

અમદાવાદમાં કોરોના કેસ વધ્યા, કોરોનાના નવા 127 કેસ નોંધાયા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. 

Latest Stories